Skip to main content

Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ


<p><strong>Gujarat monsoon arrival date:</strong> ચાલુ વર્ષે ચોમાસું પોતાની નિર્ધારિત ગતિ અને સમય કરતાં થોડું ધીમું ચાલી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં આ વખતે વરસાદ થોડો મોડો શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનો નબળા પડવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે, જેથી દક્ષિણ ગુજરાતમાં 23 જૂન અને સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં 25 જૂન પછી ચોમાસું આગળ વધશે. રાજ્યમાં 23થી 26 જૂન વચ્ચે ચોમાસાની વિધિવત શરૂઆત થવાની સંભાવના છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે.</p> <p><strong>મુંબઈમાં પણ ચોમાસું મોડું પડ્યું</strong></p> <p>સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું 11 જૂન સુધીમાં બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં 4 જૂને મોડું પહોંચ્યા બાદ ચોમાસાની રેખા હાલ મહારાષ્ટ્રના દક્ષિણ કોંકણ (હરનાઈ) આસપાસ અટકેલી છે. હવામાન વિભાગના અહેવાલો મુજબ, 18થી 19 જૂન આસપાસ પવનો મજબૂત થતાં મુંબઈમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ શકે છે. હાલમાં નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના બાકીના ભાગો તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ ધરાવે છે.</p> <p><iframe title="ABP Asmita | Headlines Today | Gujarat Politics | Latest Breaking News | Gujarat Unseasonal Rain" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ગુજરાતમાં 7 દિવસ કેવું રહેશે હવામાન?</strong></p> <p>હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 41.4°C તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે વિગતવાર આ પ્રમાણે આગાહી કરી છે:</p> <p>15થી 17 જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.</p> <p>18થી 19 જૂન: વરસાદનો વ્યાપ થોડો વધશે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.</p> <p>19થી 21 જૂન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ પ્રદેશમાં હવામાન સૂકું રહેશે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/imd-weather-update-heavy-rain-thunderstorm-alert-bihar-maharashtra-delhi-ncr-982629">ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી</a></strong></p> <p><strong>દેશના અન્ય રાજ્યોની સ્થિતિ</strong></p> <p>ચોમાસાની ઉત્તરીય રેખા (NLM) હાલમાં હરનાઈ, સોલાપુર અને હૈદરાબાદ થઈને પસાર થઈ રહી છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના ભાગો ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહાર તરફ આગળ વધશે. પશ્ચિમ રાજસ્થાનથી ગંગાના પશ્ચિમ બંગાળ સુધી સર્જાયેલી મોસમી ટ્રફ (હવાનું દબાણ) ના કારણે આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગો સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/tomorrow-weather-15-june-thunderstorm-heavy-rain-alert-delhi-up-bihar-mp-imd-982608">આવતીકાલનું હવામાનઃ લો-પ્રેશર સક્રિય થતાં દેશના આ 17 રાજ્યોમાં ભારે વરસાદ અને કરાનું એલર્ટ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...