Skip to main content

Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી


<p><strong>Gujarat Weather update: </strong>હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમી પડી રહી છે. જો કે 2 દિવસમાં રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે સાર્વત્રિક વરસાદની શકયતા નહિવત છે. છૂટછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે. ક્યાં વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં  ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે  કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટછવાયો વરસાદ વરસી શકે છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, ડાંગ સહિતના આસપાસના વિસ્તારમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ચોમાસું ગુજરાતમાં દસ્તક આપે તે પહેલા ગુજરાતના વિવિધ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસશે. આ સ્થિતિ રાજ્યમાં આગામી 5થી 7 દિવસ રહી શકે છે. </p> <p><strong>આ પણ વાંચો: <a title="વડોદરામાં ભયંકર રોડ અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક અથડાતા 6નાં કમકમાટીભર્યા મૃત્યુ, 13 ઘાયલ" href="https://ift.tt/Luwd7nB" target="_self">વડોદરામાં ભયંકર રોડ અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક અથડાતા 6નાં કમકમાટીભર્યા મૃત્યુ, 13 ઘાયલ</a></strong></p> <p>મોનસૂનની સ્થિતિની વાત કરીએ તો ચોમાસાની ગતિ 8 જૂનથી સ્થિર થઇ ગઇ છે. તે મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પહોંચ્યાં બાદ આગળ વધ્યું નથી, હવામાન વિભાગના અંદાજ મુજબ હજુ ચોમાસાને આગામી 7 દિવસનો સમય મહારાષ્ટ્રને આવરી લેતા થશે. સામાન્ય રીતે મુંબઇ ચોમાસું પહોંચે તેના એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. જો કે હજુ  મુંબઇ પહોંચતાં એક સપ્તાહનો સમય લાગે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસાની ગતિ અને હવામાન વિભાગના મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે. ચોમાસું ગુજરાતમાં જૂનના અંતમાં  દસ્તક આપી શકે છે એટલે કે 30 જૂનની આસપાસ મોનસૂનની વિધિવત ગુજરાતમાં એન્ટ્રી થાય તેવો અંદાજ હવામાન વિભાગના આંકલન મુજબ સેવાઇ રહ્યો છે. </p> <p>હવામાન વિભાગના અંદાજ મુજબ ગુજરાતમાં 27 જુન સુધી ભારે સાર્વત્રિક વરસાદનો કોઇ અનુમાન નથી. 27 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટ છવાયો હળવો વરસાદ વરસી શકે છે.</p> <p>ગુજરાત સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આજે  17 જૂને, દેશભરના 21 રાજ્યોમાં વરસાદનું અનુમાન છે.  જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ઓડિશા, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...