Skip to main content

Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી


<p>Rain Forecast : ગુજરાતમાં ચોમાસાના વિલંબ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર આપ્યા છે. આજથી જ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની પ્રક્રિયા શરૂ થવાની પ્રબળ શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી 7 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે, જેમાં 2 અને 3 જુલાઈના રોજ આખા રાજ્યને મેઘરાજા ઘમરોળશે. દરિયામાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને લીધે અત્યાર સુધી વરસાદ વિલંબમાં પડ્યો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને કાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદી ગતિવિધિઓ વેગ પકડશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=JeX73F6RTIKpIj-M" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 3 અને 4 જુલાઈ દરમિયાન બંગાળની ઉપસાગર (બંગાળની ખાડી)માં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જે આગળ જતાં 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ અને નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ, મહિસાગર અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં 4થી 6 ઈંચ વરસાદ ખાબકવાની શક્યતાને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આશા છે.</p> <p>બીજી તરફ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે કેનાલો હોવા છતાં તેમાં પાણી નથી. મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતો પર સીઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલની આ આગાહી તેમના માટે આશાનું કિરણ લાવી છે. અહેવાલ મુજબ, 4 જુલાઈ બાદ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના કારણે નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. આ સિવાય 16 જુલાઈ આસપાસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી ભાગોમાં વરસાદ વરસી શકે છે, જ્યારે આગામી 2 અને 3 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં અણધારા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ચાલુ વર્ષે રથયાત્રાના પવિત્ર દિવસે પણ ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે.</p> <p><a title="આ પણ વાંચોઃ ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?" href="https://ift.tt/vSbd0uw" target="_self">આ પણ વાંચોઃ ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?</a></p> <p>રાજ્યમાં ચોમાસાનું આગમન થયું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સિંચાઈના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે કારણે કે કેનાલો છે પણ પાણી નથી. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે અથવા કેનાલમાં પાણી નહીં છોડાય, તો મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતોને આખી સીઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...