Skip to main content

Weather: રાજયમાં કઇ તારીખે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું આપ્યું એલર્ટ


<p><strong>Weather:</strong> ચોમાસા હાલ ધીરે ધીરે આગળ વધી રહ્યું  છે. આંઘ્રપ્રદેશ, તમિલનાડુ સહિતના દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે. જો કે ગુજરાતમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 40ની ઉપર પહોંચ્યું છે. ત્યારે આકરી ગરમીથી પરેશાન લોકો હવે વરસાદની રાહ જોઇ રહયાં છે તે સ્વાભાવિક છે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પહોંચી ગયું છે. 15 જૂન બાદ સમગ્ર  મહારાષ્ટ્રે ચોમાસું આવરી લે તેવો અનુમાન હવામાન વિભાગે કર્યો છે. ગુજરાતમાં ચોમાસાની આ વર્ષે એન્ટ્રી 20 જૂનની આસપાસ થાય તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સ્થિતિ હજુ 2થી3 દિવસ રહેશે. 18 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી  શકે છે.  15 જૂન બાદ સૌરાષ્ટ્રના કેટલા જિલ્લામાં વરસાદનું આગમન થઇ શકે છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે. </p> <p>ઉલ્લેખનિય છે કે, અરબ સમુદ્રની બ્રાન્ચ તેની ગતિએ આગળ વધતા કેરળ, તમિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યુ છે પરંતુ બંગાળની બ્રાન્ચ જે ગુજરાતમાં વરસાદ લાવે છે તે હજુ એક્ટિવ નથી જેના કારણે ગુજરાતને હજુ 20 જૂન સુધી વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગે 20 જૂનની આસપાસ ચોમાસાના વરસાદની આગાહી કરી છે. જેથી 23ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. 25 જૂન બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ચોમાસું આવરી લેશે. આ સમય દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ સમય દરમિયાન મધ્ય અને સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતની તુલનામાં ઓછો વરસાદ પડી તેવી શક્યતા જોવાઇ રહી છે. </p> <p><strong>આ પણ વાંચો: <a title="Junagadh: " href="https://ift.tt/gr8PoXc" target="_self">Junagadh: "તેં સોપારી કેમ ખાધી?" કહીને પતિએ પત્ની પર કર્યો હુમલો, પત્નીનું સારવાર દરમિયાન મોત </a></strong></p> <p><strong>ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?</strong></p> <p>ગુજરાતમાં 2026નું ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે યોજાયેલા વરસાદ વિજ્ઞાન સેમિનારમાં 45 આગાહીકારોએ 10થી 12 આની (સામાન્યથી સારો) વરસાદ થવાની શક્યતા દર્શાવી છે અને બે તબક્કામાં સારી વાવણીની સ્થિતિ બની શકે તેવી આગાહી કરી છે. </p> <p>નોંધનિય છે કે આ વર્ષે અલ નીનો અસરના કારણે ચોમાસું થોડું નબળું રહી શકે છે પરંતુ હવામાન નિષ્ણાંતના મત મુજબ વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણે ચોમાસાની શરૂઆતના બે મહિના રાજ્યમાં સારો અને વાવણી લાયક વરસાદ વરસી શકે છે. અલ નીનોની અસરના કારણે બની શકે છે ઓગસ્ટમાં વરસાદની જોર ઘટી જાય. આ અલ નીનોની અસરના કારણે બની શકે કે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે અને કેટલાક જિલ્લાને વરસાદ માટે તરસવું પડે. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...