Skip to main content

Gujarat: ભારે વરસાદના કારણે રાજ્યમાં 117 રસ્તાઓ બંધ, 14 સ્ટેટ હાઇવે પર બંધ કરાયો વાહન વ્યવહાર


<p>રાજ્યમાં ભારે વરસાદના કારણે 177 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.&nbsp; તે સિવાય 14 સ્ટેટ હાઈવે, 3 નેશનલ હાઈવે પણ વરસાદના કારણે બંધ છે. જે રસ્તાઓ બંધ છે તેમાં પંચાયત હસ્તકના 152 રસ્તાઓ બંધ છે. ઉપરાંત આઠ અન્ય 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.</p> <p>રાજ્યમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના 69 રસ્તાઓ બંધ કરાયા હતા. પંચમહાલના 22, વડોદરા જિલ્લાના 20 રસ્તા બંધ કરાયા છે. દાહોદ જિલ્લાના પણ 13 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.</p> <p>સતત બીજા દિવસે મહેસાણા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લાના કેટલાક રસ્તા બંધ કરાયા હતા. બેચરાજી-હારીજને જોડતા રોડનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બેચરાજી તાલુકાના 10થી વધુ ગામોના વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.</p> <p>ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને નુકસાન થયું છે. વરસાદને પગલે અલગ અલગ તાલુકાના ખેતરો જળબંબાકાર થયા હતા. જેમાં કાંકરેજના આસેડા ગામના ખેતરો જળમગ્ન થયા છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાનની ભીતી છે. વરસાદને પગલે ફ્લાવર, રીંગણ, ભીંડા સહિતના શાકભાજીના પાકને નુકસાનની ભીતી છે. એટલું જ નહીં એરંડા, મગફળી, કપાસ સહિતના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે. છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે બાજરી, જુવારના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે.</p> <p>સોમવારે (18 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતમાં 238 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 12 ઈંચ વરસાદ વિસાવદરમાં, 28 તાલુકામાં 2.5 થી 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. 75 જિલ્લામાં અડધાથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સૌરાષ્ટ્રના આઠથી વધુ જિલ્લામાં 2 થી 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા સોમવારે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.&nbsp;</p> <p>&nbsp;હવામાન વિભાગે પાટણ, કચ્છ અને મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિની આગાહી કરી છે. બીજી તરફ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે પણ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ગઈકાલે પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>