Skip to main content

Gujarat: સરકારની બેદરકારી, જ્ઞાન સાધના સ્કૉલરશિપ માટે 500થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા, શું છે મામલો ?


<p><strong>Gujarat News:</strong> વધુ એકવાર સરકારી વેબસાઇટમાં ગોટાળાની ઘટના સામે આવી છે, ગુજરાત સરકાર દ્વારા લૉન્ચ કરવામાં આવેલી વિદ્યાર્થી લાભ માટેની યોજનાની વેબસાઇટમાં ક્ષતિ હોવાની વાત સામે આવી છે. ખરેખરમાં, વાત એમ છે કે, ગુજરાત સરકારની જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેની વેબસાઇટમાં ધાંધિયાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા થઇ રહી છે, અત્યારે જ 500થી વધુ શાળાઓ ના હોવાથી વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સરકાર જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અતંર્ગત વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે, અને આ માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જોકે, અત્યારે વાત એમ છે કે, સ્કોલરશિપ પૉર્ટલમાં 500 શાળાઓ મુકવામાં જ નથી આવી આ કારણે વિદ્યાર્થીઓ ફાંફે ચઢ્યા છે. જ્ઞાન સાધના સ્કોલરશિપના રજિસ્ટ્રેશનમાં ધાંધિયા થવાની પણ ફરિયાદ ઉઠી છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ઠરાવનો પૂરતો અભ્યાસ કર્યા વિના જ પૉર્ટલ ઓપન કરતાં આવી મુશ્કેલીઓ સર્જાઈ છે. સોફ્ટવેરમાં 500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ જ મુકાયું ના હોવાનું જાણવા મળ્યું છે.&nbsp;</p> <p><strong>ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા, બસ કરવું પડશે આ કામ</strong></p> <p>કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેથી ગરીબ પરિવારોને શિક્ષણમાં મદદ મળી શકે. આજે અમે એવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.&nbsp;</p> <p>આ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના છે, જેના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા આપવામાં આવે છે. આનો લાભ લેવા માટે તમારે અરજી કરવી પડશે, જેના માટે કેટલાક જરૂરી દસ્તાવેજો અને લાયકાત હોવા જોઈએ. ગુજરાત સરકાર નવા સત્રથી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ આવા વિદ્યાર્થીઓને રૂ. 25,000 સુધીની શિષ્યવૃત્તિ આપશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 20 હજાર રૂપિયા જ્યારે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 25 હજાર રૂપિયા આપવામાં આવશે. આ માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1.2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ. આ શિષ્યવૃત્તિ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ પણ હાજર રહેવાનું રહેશે. આ સ્કોલરશીપ પરીક્ષા પાસ કર્યા પછી જ આપવામાં આવશે. જે બાળકોએ ધોરણ 8 પાસ કર્યું છે તેઓ પણ આ માટે અરજી કરી શકે છે. અરજી દરમિયાન, તમારી ઓળખના સંપૂર્ણ દસ્તાવેજો જેમ કે આધાર, PAN અને શાળાની માર્કશીટ વગેરે આપવાના રહેશે. ઓનલાઈન ઉપરાંત, તમે આ માટે શાળામાંથી પણ અરજી કરી શકો છો. આ શિષ્યવૃત્તિ દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ વખતે તેની શરૂઆત મે મહિનામાં થઈ હતી અને તેનું પેપર 11મી જૂને હતું. કોઈપણ વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ અરજી કરી શકે છે, પરંતુ શરત એ છે કે તેની કુટુંબની આવક ઉપર જણાવેલી મર્યાદાથી વધુ ન હોવી જોઈએ.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...