Skip to main content

Gujarat Rain: ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે લેશે વિદાય, જાણો રાજ્યના હવામાન વિભાગે શું કહ્યું ?


<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. &nbsp;રાજસ્થાન તરફથી તો ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં હવે થોડા જ દિવસમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેશે. &nbsp;જો કે, આજે સુરત, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. &nbsp;હવામાન વિભાગના મતે હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. &nbsp;પરંતુ ભેજના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ ધીમીધારે વરસાદ વરસશે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં વરસાદ પડવાની શક્યાતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.&nbsp; &nbsp;</p> <p><strong>સુરત શહેરમાં વરસાદ</strong></p> <p>સુરતમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. એટલો બધો વરસાદ પડ્યો ન હતો તેમ છતાં શહેરના બે વિસ્તારની સ્થિતિ જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવી થઈ ગઈ છે. સુરતના લિંબાયતમાં નીલગીરી ગ્રાઉંડ જતો રોડ એટલે કે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નિવાસસ્થાન બહાર જ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા અહીં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. તો બીજો વિસ્તાર છે ઉધના-નવસારી રોડ પર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં તો કેડ સમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર જાણે થંભી ગયો હતો. વહેલી સવારના લોકો તો પોતાના નોકરી ધંધાર્થે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલે રવાના થયા હતા. જોકે હજુ તો ઘરની બહાર નીકળે તે પહેલા જ રસ્તામાં અટવાઈ પડ્યા હતા.</p> <p><strong>અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ</strong></p> <p>અમરેલી જિલ્લામાં આજે છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. &nbsp;અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. &nbsp;સાવરકુંડલા અને ખાંભા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. &nbsp;શહેરમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.&nbsp;</p> <p><strong>અમદાવાદ શહેરમાં વરસાદ</strong></p> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. &nbsp;પ્રહલાદનગર ગાર્ડન, એસજી હાઈવે, શ્યામલ, શિવરંજની, જીએમડીસી ગ્રાઉન, હેલમેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી ગઈ છે.&nbsp;</p> <p>અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમાં વરસાદી ઝાપટું પડ્યું છે. &nbsp;આંબાવાડી, પરિમલ ગાર્ડન, પાલડી, ગુજરાત કોલેજમાં વરસાદી માહોલ જામ્યો છે. &nbsp;હળવાથી મધ્યમ ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. &nbsp;શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.&nbsp;</p> <p>અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. આંબાવાડી, પરિમલ ગાર્ડન અને પાલડી વિસ્તારમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. શહેરમાં સામાન્ય વિસ્તારમાં જ અનેક જગ્યાએ પર પાણી ભરાઈ ગયા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...