Skip to main content

દિવાળીએ માર્ગ અકસ્માતના કેસમાં વધારો, 678 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને સુરતમાં નોંધાયા


<p><strong>Accident cases in Gujarat:</strong>&nbsp;દિવાળીમાં રાજ્યમાં માર્ગ અકસ્માત અને દાઝી જવાના કેસમાં વધારો થયો છે. 12 નવેમ્બરે દિવાળીના દિવસે માર્ગ અકસ્માતના કેસમાં 59.40 ટકા જેટલો વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં 108 ઈમરજંસી એમ્બ્યુલન્સને વાહન અકસ્માતના રોજના સરેરાશ 431 કેસ કોલ્સ મળતા હોય છે. પરંતુ દિવાળીમાં આ આંક 678 પર પહોંચ્યો છે. જેમાં ઈજાગ્રસ્ત દર્દીઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.</p> <p>આ સાથે દાઝી જવાના 41 કેસ એટલે કે સામાન્ય દિવસોની સરખામણીએ 515 ટકા જ્યારે પડી જવાના કેસમાં 20 ટકાનો વધારો દેખાયો છે. તો વિવિધ ઈમરજંસીના સામાન્ય દિવસોમાં ત્રણ હજાર 961 કોલ્સની સામે ચાર હજારથી વધુ કોલ્સ આવ્યા છે. તેમાં પણ અકસ્માતના સૌથી વધુ કેસ અમદાવાદ, વડોદરા અને સુરતમાં નોંધાયા છે. તો દાઝી જવાના અમદાવાદમાં 10 કેસ 108ને મળ્યા.</p> <p>અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન રોડ પર અકસ્માત થયો છે. મર્સડીઝ ગાડીએ એક સાથે બે ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. સવારના 03: 26 મિનિટે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ મર્સિડીઝ અને ઓડી કાર એક બીજા સાથે રેસ લગાવી હતી. આ રેસના ચક્કરમાં એક સાથે બે ગાડીઓનો અકસ્માત થયો હતો. અકસ્માત કરના મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રિશીત પટેલ દારૂ પીને ગાડી ચલાવતો હોવાનો જે પરિવાર સાથે અકસ્માત થયો તેઓનો આક્ષેપ છે. રિશીત પટેલના મિત્રોએ દારૂની બોટલ અને ગ્લાસ સગેવગે કર્યાના અહેવાલ છે.</p> <p>કાર ચાલક રિશીત પટેલ RM બાયોવિસ્ટા કંપનીનો MD છે. અકસ્માત બાદ રિશીતના માણસોએ મારપીટ કર્યાનો આરોપ છે. એટલું જ નહીં અકસ્માત બાદ રિશીતના મિત્રોએ નંબર પ્લેટ કાઢી લીધી હતી. રિશીત 150થી 200ની સ્પીડે કાર ચલાવતો હોવાનો આરોપ છે. નબીરાના પરિવારજનોએ પણ રૂપિયાના નશામાં એલફેલ નિવેદનો કર્યા. સાંજ સુધીમાં છોડાવી લેવાના રિશીત પટેલના પરિવારજનોએ કર્યા નિવેદન.</p> <p>નોંધનીય છે કે, આ પહેલા તથ્ય પટેલ નામના યુવકે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોને કચડ્યા હતા. હાલ તથ્ય પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. જામીન અરજીને લઈને કોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...