Skip to main content

Gujarat Rain: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી,  28 ઑગસ્ટ સુધી રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ


<p><!--StartFragment --></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf0"><strong>Gujarat Rain:</strong> </span><span class="cf1">ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે, સાબરકાંઠા, નવસારી, અને વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.</span></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, અને આવતીકાલે, 25મી ઑગસ્ટના રોજ, ભારે વરસાદની શક્યતા છે.</span></p> <p class="pf0" style="text-align: justify;"><strong><span class="cf1">અંબાલાલ પટેલની આગાહી</span></strong></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">અંબાલાલ પટેલની આગાહી મુજબ, 28મી ઑગસ્ટ સુધી ગુજરાતમાં અતિથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ખાસ કરીને ઉત્તર, મધ્ય, અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ઝાપટાં પડવાની શક્યતા છે. આ વરસાદી માહોલ પર્યુષણ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ ચાલુ રહી શકે છે. જોકે, તેમણે આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન ભારે ગરમી પડી શકે છે.</span></p> <p class="pf0" style="text-align: justify;"><strong><span class="cf1">સાબરમતી નદીમાં ફસાયેલા લોકોને બચાવવા </span><span class="cf2">NDRF</span><span class="cf1">ની ટીમ કાર્યરત</span></strong></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વાગડી ગામ નજીક સાબરમતી નદીમાં ફસાયેલા છથી સાત લોકોને બચાવવા માટે </span><span class="cf2">NDRF</span><span class="cf1">ની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ લોકો ગઈકાલ સવારથી નદીના પાણી વચ્ચે ફસાયેલા છે.</span></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">સ્થાનિક રેસ્ક્યૂ ટીમને સફળતા ન મળતા </span><span class="cf2">NDRF</span><span class="cf1">ને બોલાવવામાં આવી હતી. અગાઉ, સ્થાનિક ટીમની એક બોટ પલટી ગઈ હતી, જોકે રેસ્ક્યૂ ટીમના જવાનોનો આબાદ બચાવ થયો હતો. હાલ, </span><span class="cf2">NDRF</span><span class="cf1">ની ટીમ બોટ દ્વારા ફસાયેલા લોકોને બહાર લાવવા માટે કામ કરી રહી છે.</span></p> <p class="pf0" style="text-align: justify;"><strong><span class="cf1">સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ</span></strong></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">હવામાન વિભાગની આગાહી મુજબ, પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 21 મીમી, રાણાવાવમાં 22 મીમી અને કુતિયાણામાં સૌથી વધુ 64 મીમી વરસાદ નોંધાયો છે. હાલમાં પણ પોરબંદર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે.</span></p> <p class="pf0" style="text-align: justify;">મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં સૌથી વધુ ત્રણ ઇંચ (73 મીમી) વરસાદ નોંધાયો છે. આ સિવાય, ઊંઝામાં 54 મીમી, ખેરાલુમાં 50 મીમી અને સતલાસણામાં 47 મીમી વરસાદ પડ્યો છે.</p> <p class="pf0" style="text-align: justify;"><strong><span class="cf1">સુરવો ડેમ આ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો</span></strong></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસે આવેલો સુરવો ડેમ આ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમ સાઈટ વિસ્તારના થાણા ગાલોળ, ખજૂરી ગુંદાળા, અને ખીરસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.</span></p> <p class="pf0" style="text-align: justify;"><span class="cf1">વડોદરાના શિનોર તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાધલી ગામમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સિઝનમાં શિનોરમાં અત્યાર સુધી કુલ 26.73 ઇંચ વરસાદ નોંધાયો છે.</span></p> <p><!--EndFragment --></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...