Skip to main content

Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો વધુ ક્યાં વરસ્યો


<p><strong>Gujarat Rain Update</strong>:રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે, આજે પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદનું એલર્ટ&nbsp; અપાયું છે. 16 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર,સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મહિસાગર, પંચમહાલ,દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p><strong>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ</strong></p> <p>&nbsp;હવામાન વિભાગની ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 76 તાલુકામાં એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.&nbsp; છોટાઉદેપુરના સંખેડામાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે. &nbsp;સુરતના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ વરસાદ વરસ્યો, છેલ્લા &nbsp;24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં વ્યારા તાલુકામાં 3.54 ઈંચ, &nbsp;ડભોઈ તાલુકામાં 3.15 ઈંચ,દાંતા અને રાધનપુર તાલુકામાં 3.11 ઈંચ, ખેડબ્રહ્મા અને વાલોડ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.</p> <p>સુરત શહેરમાં 2.80 ઈંચ વરસાદ વરસ્યો, મોરબીના માળિયામાં 2.68 ઈંચ વરસાદ, ડેડિયાપાડામાં 2.56 ઈંચ,જામકંડોરણામાં 2.40 ઈંચ,કુકરમુંડા અને ધ્રાંગધ્રા તાલુકામાં 2.32 ઈંચ, મહુવા તાલુકામાં 2.17 ઈંચ,સોનગઢ, નવસારી, માંગરોળ, ટંકારામાં 2.13 ઈંચ, વિજયનગર, પલસાણા, મોરબી, બોડેલીમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો. &nbsp;24 કલાકમાં સાંતલપુર તાલુકામાં 2.01 ઈંચ વરસાદ વરસ્યો છે.વડાલી, દહેગામ, સતલાસણા, કરજણમાં 1.93 ઈંચ, &nbsp;ધનસુરા 1.89 ઈંચ, પાવી જેતપુરમાં 1.85 ઈંચ,ઓલપાડ 1.81 ઈંચ, ભાણવડમાં 1.73 ઈંચ,વડગામ, બારડોલી, જલાલપોરમાં 1.73 ઈંચ,દાંતીવાડામાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો છે.</p> <p>ઉલ્લેખનિય છે કે સતત&nbsp; વરસાદથી રાજ્યના ડેમોની જળસપાટી પણ વધી રહી છે.&nbsp;ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું&nbsp; &nbsp;જળસ્તર વધશે.&nbsp; 64,144 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.&nbsp;<br />સાબરમતી નદી તોફાની બનતા કાંઠાના ગામ એલર્ટ કરાયા છે.&nbsp;</p> <p><strong>બાલાલ પટેલની આગાહી</strong></p> <p>ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સારો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઓક્ટબર સુધીના વેઘરને લઇને આંકલન કર્યું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, હાલ ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ ગઇ છે. ગણેશ ચતુર્થી બાદ નવરાત્રિનો નવ દિવસનો લાંબો ઉત્સવ મનાવાશે. આ પર્વમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ એ અંગે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં ઓક્ટોબર સુધી મોનસૂન સક્રિય રહેશે અને છૂટછવાયો ક્યાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ વરસશે.</p> <p>27 ઓગસ્ટથી દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ થશે. અંબાલાલ પટેલે ગણેશ ઉત્સની આસપાસ વરસાદની આગાહી કરી છે. ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે. નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે. આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 25 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. &nbsp;25થી 28 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસશે. &nbsp;</p> <p>અંબાલાલના આંકલન મુજબ&nbsp; આજે અને આવતી કાલે &nbsp;રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.ઉત્તર ગુજરાતના જિલ્લામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસશે, મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજે વરસાદનું અનુમાન છે.સ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી ઝાપટા આજના દિવસે યથાવત રહેશે.દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે.રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે. બનાસકાંઠામાં ત્રણથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. પંચમહાલ અને મહિસાગરમાં આઠ ઈંચ સુધીનો વરસાદ વરસશે. 25થી 28 ઓગષ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં 5થી 10 ઈંચ સુધી વરસાદની શક્યતા છે. વરસાદના કારણે &nbsp;નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી વરસાદ વરસશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓક્ટોબર પહેલા સપ્તાહ સુધી &nbsp;ચોમાસુ સક્રિય રહેશે.&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...