Skip to main content

ગુજરાતના 5 રત્નોને પદ્મશ્રી! સુરતના ‘અંગદાનના ભગીરથ’ અને જૂનાગઢના ‘હાજી રમકડું’નું સન્માન; જુઓ આખી યાદી


<p><strong>Padma Awards 2026 Gujarat Winners:</strong> ભારતના 77th (૭૭મા) પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત માટે અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રતિષ્ઠિત 'પદ્મ પુરસ્કારો' (Padma Awards) માં ગુજરાતના પાંચ સપૂતોની પસંદગી કરવામાં આવી છે. કલા, સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સુરતના નિલેશ માંડલેવાલા, જૂનાગઢના લોકપ્રિય હાજી રમકડું, વડોદરાના માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યા, સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને કલાકાર અરવિંદ વૈદ્યને 'પદ્મશ્રી' (Padma Shri) એનાયત કરવામાં આવશે.</p> <p><strong>1. નિલેશ માંડલેવાલા:</strong> અંગદાનના 'ભગીરથ' (Social Work) સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાનું નામ ગુજરાતમાં અંગદાન (Organ Donation) ક્ષેત્રે પર્યાય બની ગયું છે. 'ડોનેટ લાઈફ' સંસ્થાના સ્થાપક નિલેશભાઈએ પિતાની કિડની નિષ્ફળ જવાની પીડામાંથી પ્રેરણા લઈ લાખો લોકોને નવજીવન આપવાનો ભેખ ધર્યો છે.</p> <p>સિદ્ધિ: 22 January 2026 સુધીમાં તેમણે 1366 અંગો અને ટીશ્યુનું દાન કરાવીને 1258 લોકોને નવું જીવન આપ્યું છે.</p> <p>કોરોના વોરિયર: મહામારીના સમયમાં જ્યારે અંગદાન ઘટ્યું હતું, ત્યારે તેમણે 203 અંગોનું દાન કરાવ્યું હતું.</p> <p><strong>2. હાજી રમકડું:</strong> જેમના ઢોલ પર મોદી પણ આફરીન છે (Art - Folk) જૂનાગઢના 80 વર્ષીય ઢોલક વાદક હાજી કાસમ મીર, જેઓ 'હાજી રમકડું' તરીકે લોકપ્રિય છે, તેમને પણ પદ્મશ્રી જાહેર થયો છે.</p> <p>ભાવુક પ્રતિક્રિયા: એવોર્ડની જાણ થતાં હાજીભાઈએ કહ્યું, "મને જીવતા એવોર્ડ મળ્યો તેનો રાજીપો છે, મર્યા પછી મળે તો શું કામનું? મોદીસાહેબે મારી કદર કરી."</p> <p>ગૌસેવા: હાજીભાઈએ ગાયોના લાભાર્થે 20,000 થી વધુ પ્રોગ્રામ એક પણ રૂપિયો લીધા વિના મફત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ઢોલના ચાહક છે.</p> <p><strong>3. ધાર્મિકલાલ પંડ્યા:</strong> 350 વર્ષ જૂની પરંપરાના વાહક (Art - Manbhatt) વડોદરાના 94 વર્ષીય ધાર્મિકલાલ પંડ્યા ગુજરાતની પ્રાચીન 'માણભટ્ટ' (Manbhatt) પરંપરાને જીવંત રાખનાર છેલ્લા કેટલાક કલાકારોમાંના એક છે.</p> <p>વારસો: પિતાના અવસાન બાદ નાની ઉંમરે જવાબદારી સંભાળી અને 2500 થી વધુ આખ્યાનો દેશ-વિદેશમાં પ્રસ્તુત કર્યા.</p> <p>સંદેશ: તેમણે કહ્યું, "આ સન્માન મારું નહીં પણ પ્રેમાનંદ અને નરસિંહ મહેતા જેવા કવિઓનું છે. નવી પેઢીએ ગુજરાતી ભાષાનું ગૌરવ લેવું જોઈએ."</p> <p><strong>4. રતિલાલ બોરીસાગર અને અરવિંદ વૈદ્ય</strong> આ ઉપરાંત, ગુજરાતી સાહિત્યમાં હાસ્ય અને કટાક્ષ દ્વારા સમાજને આરસો બતાવનાર વરિષ્ઠ સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને કલા ક્ષેત્રે અરવિંદ વૈદ્ય ને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.</p> <p>આ પાંચેય મહાનુભાવોએ સાબિત કર્યું છે કે ઉંમર કે પરિસ્થિતિ ક્યારેય પ્રતિભાને રોકી શકતી નથી. સમગ્ર ગુજરાત આજે તેમના પર ગર્વ અનુભવી રહ્યું છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...