ગુજરાતના 5 રત્નોને પદ્મશ્રી! સુરતના ‘અંગદાનના ભગીરથ’ અને જૂનાગઢના ‘હાજી રમકડું’નું સન્માન; જુઓ આખી યાદી

<p><strong>Padma Awards 2026 Gujarat Winners:</strong> ભારતના 77th (૭૭મા) પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત માટે અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રતિષ્ઠિત 'પદ્મ પુરસ્કારો' (Padma Awards) માં ગુજરાતના પાંચ સપૂતોની પસંદગી કરવામાં આવી છે. કલા, સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સુરતના નિલેશ માંડલેવાલા, જૂનાગઢના લોકપ્રિય હાજી રમકડું, વડોદરાના માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યા, સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને કલાકાર અરવિંદ વૈદ્યને 'પદ્મશ્રી' (Padma Shri) એનાયત કરવામાં આવશે.</p> <p><strong>1. નિલેશ માંડલેવાલા:</strong> અંગદાનના 'ભગીરથ' (Social Work) સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાનું નામ ગુજરાતમાં અંગદાન (Organ Donation) ક્ષેત્રે પર્યાય બની ગયું છે. 'ડોનેટ લાઈફ' સંસ્થાના સ્થાપક નિલેશભાઈએ પિતાની કિડની નિષ્ફળ જવાની પીડામાંથી પ્રેરણા લઈ લાખો લોકોને નવજીવન આપવાનો ભેખ ધર્યો છે.</p> <p>સિદ્ધિ: 22 January 2026 સુધીમાં તેમણે 1366 અંગો અને ટીશ્યુનું દાન કરાવીને 1258 લોકોને નવું જીવન આપ્યું છે.</p> <p>કોરોના વોરિયર: મહામારીના સમયમાં જ્યારે અંગદાન ઘટ્યું હતું, ત્યારે તેમણે 203 અંગોનું દાન કરાવ્યું હતું.</p> <p><strong>2. હાજી રમકડું:</strong> જેમના ઢોલ પર મોદી પણ આફરીન છે (Art - Folk) જૂનાગઢના 80 વર્ષીય ઢોલક વાદક હાજી કાસમ મીર, જેઓ 'હાજી રમકડું' તરીકે લોકપ્રિય છે, તેમને પણ પદ્મશ્રી જાહેર થયો છે.</p> <p>ભાવુક પ્રતિક્રિયા: એવોર્ડની જાણ થતાં હાજીભાઈએ કહ્યું, "મને જીવતા એવોર્ડ મળ્યો તેનો રાજીપો છે, મર્યા પછી મળે તો શું કામનું? મોદીસાહેબે મારી કદર કરી."</p> <p>ગૌસેવા: હાજીભાઈએ ગાયોના લાભાર્થે 20,000 થી વધુ પ્રોગ્રામ એક પણ રૂપિયો લીધા વિના મફત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ઢોલના ચાહક છે.</p> <p><strong>3. ધાર્મિકલાલ પંડ્યા:</strong> 350 વર્ષ જૂની પરંપરાના વાહક (Art - Manbhatt) વડોદરાના 94 વર્ષીય ધાર્મિકલાલ પંડ્યા ગુજરાતની પ્રાચીન 'માણભટ્ટ' (Manbhatt) પરંપરાને જીવંત રાખનાર છેલ્લા કેટલાક કલાકારોમાંના એક છે.</p> <p>વારસો: પિતાના અવસાન બાદ નાની ઉંમરે જવાબદારી સંભાળી અને 2500 થી વધુ આખ્યાનો દેશ-વિદેશમાં પ્રસ્તુત કર્યા.</p> <p>સંદેશ: તેમણે કહ્યું, "આ સન્માન મારું નહીં પણ પ્રેમાનંદ અને નરસિંહ મહેતા જેવા કવિઓનું છે. નવી પેઢીએ ગુજરાતી ભાષાનું ગૌરવ લેવું જોઈએ."</p> <p><strong>4. રતિલાલ બોરીસાગર અને અરવિંદ વૈદ્ય</strong> આ ઉપરાંત, ગુજરાતી સાહિત્યમાં હાસ્ય અને કટાક્ષ દ્વારા સમાજને આરસો બતાવનાર વરિષ્ઠ સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને કલા ક્ષેત્રે અરવિંદ વૈદ્ય ને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.</p> <p>આ પાંચેય મહાનુભાવોએ સાબિત કર્યું છે કે ઉંમર કે પરિસ્થિતિ ક્યારેય પ્રતિભાને રોકી શકતી નથી. સમગ્ર ગુજરાત આજે તેમના પર ગર્વ અનુભવી રહ્યું છે.</p>
Comments
Post a Comment