Skip to main content

કોંગ્રેસમાં યાદવાસ્થળી! જિજ્ઞેશ મેવાણી vs કિરીટ પટેલ; પાટણમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધથી રાજકારણ ગરમાયું


<p><strong>Patan Congress Conflict:</strong> ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં શેરીઓ પર આવી ગયો છે. પાટણમાં 'વીર મેઘમાયા' ના કાર્યક્રમ નિમિત્તે પક્ષના બે દિગ્ગજ નેતાઓ અને તેમના સમર્થકો વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. એક તરફ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) એ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે, તો બીજી તરફ પાટણના સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ (Kirit Patel) એ મેવાણીને 'લઘુતા ગ્રંથિ'થી પીડાતા ગણાવીને આકરો જવાબ આપ્યો છે.</p> <p><strong>જિજ્ઞેશ મેવાણીનો હુંકાર: "ફાંકા મારવાનું બંધ કરો"&nbsp;</strong></p> <p>પાટણમાં આયોજિત કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણીએ નામ લીધા વિના પક્ષના જ વિરોધી જૂથ પર નિશાન તાક્યું હતું. પ્રદેશ અનુસૂચિત જાતિના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા (Hitendra Pithadiya) ને પાટણમાં પ્રવેશવા પર મારવાની ધમકી આપનારાઓને લલકારતા મેવાણીએ કહ્યું હતું કે, "પાટણની ધરતી પર મારવાની વાતો કરનારા લોકો ફાંકા મારવાનું બંધ કરે." તેમણે પોતાની આક્રમક શૈલીમાં વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.</p> <p><strong>કિરીટ પટેલનો પલટવાર: "માસ લીડરના કાર્યક્રમમાં માત્ર 25 લોકો?"&nbsp;</strong></p> <p>મેવાણીના પ્રહારો બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મૌન તોડ્યું હતું અને આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો. કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે, "આજે પાટણમાં નિવેદન કરનારા નેતાએ સામાજિક સોહાર્દ (Social Harmony) બગાડવાનો પ્રયાસ કર્યો છે." કિરીટ પટેલે કટાક્ષ કરતા કહ્યું કે, "છેલ્લા 5 દિવસથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને હજારોની મેદની ભેગી કરવાની વાતો કરતા હતા, પરંતુ કાર્યક્રમમાં માત્ર 5 કે 25 લાગતા-વળગતા લોકો જ હાજર રહ્યા હતા. જે લોકો પોતાને 'માસ લીડર' ગણાવે છે, તેઓ આવા ફિયાસ્કાથી માનસિક રીતે હતાશ થઈ ગયા છે અને લઘુતા ગ્રંથિ (Inferiority Complex) થી પીડાઈને મીડિયામાં બફાટ કરી રહ્યા છે."</p> <p><strong>હસમુખ સક્સેનાનું કિરીટ પટેલને સમર્થન&nbsp;</strong></p> <p>આ વિવાદમાં પાટણ અનુસૂચિત જાતિ વિભાગના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના (Hasmukh Saxena) પણ મેદાને આવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને મેવાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા:</p> <p>ભાગલાની રાજનીતિ: "બહારના નેતાઓ પાટણમાં આવીને પાટીદાર અને દલિત સમાજ (Dalit Samaj) વચ્ચે વર્ગવિગ્રહ કરાવી રહ્યા છે."</p> <p>માનસિક સંતુલન: "પોતાને રાષ્ટ્રીય નેતા માનતા લોકોએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને માત્ર રાજકીય રોટલા શેકી રહ્યા છે."</p> <p>રાજીનામાની ચીમકી: સક્સેનાએ કિરીટ પટેલને '108' જેવું કામ કરનારા નેતા ગણાવ્યા અને ચીમકી આપી કે જો પટેલની અવગણના થશે તો અનુસૂચિત મોરચામાંથી રાજીનામાં પડશે.</p> <p>કિરીટ પટેલે અંતમાં ઉમેર્યું હતું કે આવા નિવેદનો પક્ષને નુકસાન કરી રહ્યા છે અને સામાજિક સમરસતાના કાર્યક્રમમાં આવી રાજનીતિ કરવી અયોગ્ય છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...