કોંગ્રેસમાં યાદવાસ્થળી! જિજ્ઞેશ મેવાણી vs કિરીટ પટેલ; પાટણમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધથી રાજકારણ ગરમાયું

<p><strong>Patan Congress Conflict:</strong> ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં શેરીઓ પર આવી ગયો છે. પાટણમાં 'વીર મેઘમાયા' ના કાર્યક્રમ નિમિત્તે પક્ષના બે દિગ્ગજ નેતાઓ અને તેમના સમર્થકો વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. એક તરફ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) એ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે, તો બીજી તરફ પાટણના સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ (Kirit Patel) એ મેવાણીને 'લઘુતા ગ્રંથિ'થી પીડાતા ગણાવીને આકરો જવાબ આપ્યો છે.</p> <p><strong>જિજ્ઞેશ મેવાણીનો હુંકાર: "ફાંકા મારવાનું બંધ કરો" </strong></p> <p>પાટણમાં આયોજિત કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણીએ નામ લીધા વિના પક્ષના જ વિરોધી જૂથ પર નિશાન તાક્યું હતું. પ્રદેશ અનુસૂચિત જાતિના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા (Hitendra Pithadiya) ને પાટણમાં પ્રવેશવા પર મારવાની ધમકી આપનારાઓને લલકારતા મેવાણીએ કહ્યું હતું કે, "પાટણની ધરતી પર મારવાની વાતો કરનારા લોકો ફાંકા મારવાનું બંધ કરે." તેમણે પોતાની આક્રમક શૈલીમાં વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.</p> <p><strong>કિરીટ પટેલનો પલટવાર: "માસ લીડરના કાર્યક્રમમાં માત્ર 25 લોકો?" </strong></p> <p>મેવાણીના પ્રહારો બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મૌન તોડ્યું હતું અને આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો. કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે, "આજે પાટણમાં નિવેદન કરનારા નેતાએ સામાજિક સોહાર્દ (Social Harmony) બગાડવાનો પ્રયાસ કર્યો છે." કિરીટ પટેલે કટાક્ષ કરતા કહ્યું કે, "છેલ્લા 5 દિવસથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને હજારોની મેદની ભેગી કરવાની વાતો કરતા હતા, પરંતુ કાર્યક્રમમાં માત્ર 5 કે 25 લાગતા-વળગતા લોકો જ હાજર રહ્યા હતા. જે લોકો પોતાને 'માસ લીડર' ગણાવે છે, તેઓ આવા ફિયાસ્કાથી માનસિક રીતે હતાશ થઈ ગયા છે અને લઘુતા ગ્રંથિ (Inferiority Complex) થી પીડાઈને મીડિયામાં બફાટ કરી રહ્યા છે."</p> <p><strong>હસમુખ સક્સેનાનું કિરીટ પટેલને સમર્થન </strong></p> <p>આ વિવાદમાં પાટણ અનુસૂચિત જાતિ વિભાગના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના (Hasmukh Saxena) પણ મેદાને આવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને મેવાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા:</p> <p>ભાગલાની રાજનીતિ: "બહારના નેતાઓ પાટણમાં આવીને પાટીદાર અને દલિત સમાજ (Dalit Samaj) વચ્ચે વર્ગવિગ્રહ કરાવી રહ્યા છે."</p> <p>માનસિક સંતુલન: "પોતાને રાષ્ટ્રીય નેતા માનતા લોકોએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને માત્ર રાજકીય રોટલા શેકી રહ્યા છે."</p> <p>રાજીનામાની ચીમકી: સક્સેનાએ કિરીટ પટેલને '108' જેવું કામ કરનારા નેતા ગણાવ્યા અને ચીમકી આપી કે જો પટેલની અવગણના થશે તો અનુસૂચિત મોરચામાંથી રાજીનામાં પડશે.</p> <p>કિરીટ પટેલે અંતમાં ઉમેર્યું હતું કે આવા નિવેદનો પક્ષને નુકસાન કરી રહ્યા છે અને સામાજિક સમરસતાના કાર્યક્રમમાં આવી રાજનીતિ કરવી અયોગ્ય છે.</p>
Comments
Post a Comment