Skip to main content

સરકારી કચેરીઓના ધક્કા હવે ભૂતકાળ બનશે:વહીવટી તંત્રમાં ફેસલેસ અને પેપરલેસ ક્રાંતિ, 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ


https://ift.tt/bFXaWRQ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને સરકારી સેવાઓ 'લાઈન' માંથી 'ઓનલાઈન' ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી કદમ માનવામાં આવે છે. 20 મહત્વની સેવાઓ હવે ‘ફેસલેસ અને પેપરલેસ’ આ કાર્યક્રમ દરમિયાન GARC (Gujarat Administrative Reforms Commission) ના 5 માં અહેવાલની ભલામણોના આધારે, 5 મુખ્ય વિભાગોની 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કરાયું છે. હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ મેળવવા માટે નાગરિકોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. આ સેવાઓ સંપૂર્ણપણે 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે. પ્રજાના કામમાં સરળતા એ જ સરકારનું લક્ષ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002 માં 'સ્વાગત ઓનલાઇન' દ્વારા જે ટેકનોલોજીની પાયા નાખ્યા હતા, તેના મીઠા ફળ આજે મળી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે ગ્રામીણ સ્તરે તલાટી અને VCE એ આ સેવાઓના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. જ્યારે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ એક થઈને કામ કરે છે, ત્યારે પરિણામ અદભૂત આવે છે. આ નવી વ્યવસ્થામાં 'ડિજિટલ લોકર'ની સુવિધા હોવાથી નાગરિકોએ વારંવાર એકના એક દસ્તાવેજો જમા કરાવવા પડશે નહીં. ઈંધણની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસની અછત હોવાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. ડિજિટલાઇઝેશનથી પારદર્શિતા અને ઝડપમાં વધારો વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, અગાઉ દિલ્હીથી મોકલેલા 1 રૂપિયો છેવાડાના માનવી સુધી પહોંચતા ઘસાઈ જતો, પરંતુ આજે DBT દ્વારા પૂરેપૂરી રકમ સીધી ખાતામાં જમા થાય છે. કમોસમી વરસાદના વળતર પેટે તાજેતરમાં જ એક ક્લિકથી 11,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે. ડિજિટલ સિસ્ટમને કારણે આજે કરોડો રૂપિયાની સહાય વચેટિયાઓ વગર સીધી લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. દર વર્ષે 80 લાખ લોકોની લાઈનો ઘટશે મુખ્ય સચિવ મનોજ દાસે મહત્વની વિગત આપતા જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 80 લાખ લોકો પ્રમાણપત્રો માટે લાઈનમાં ઊભા રહે છે, જે હવે બંધ થશે. 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ એટલું સક્ષમ છે કે એકસાથે 10 લાખ લોકો લોગ-ઈન કરે તો પણ તે હેંગ થશે નહીં. આ સિસ્ટમમાં QR કોડ અને આધાર આધારિત ઓથેન્ટિકેશન હોવાથી સુરક્ષા અને ચોકસાઈ જળવાઈ રહેશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...