Skip to main content

કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી


<p><strong>Gujarat unseasonal rain:</strong> ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે. આ કુદરતી આફતને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લેતા પાક નુકસાનીના સર્વેના આદેશ આપી દીધા છે. જોકે, ખેડૂતો પરથી હજુ આફત ટળી નથી, કારણ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.</p> <p><strong>કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન</strong></p> <p>આ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જની અસરના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓ પાસેથી નુકસાનીનો પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો સત્વરે સર્વે કરવાની સૂચનાઓ તંત્રને આપી દેવામાં આવી છે. આ સર્વેનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ સરકાર ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા અંગે વિચારણા કરશે.</p> <p><strong>ગીર સોમનાથ જિલ્લાની હાલત સૌથી ખરાબ</strong></p> <p>બીજી તરફ, ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો સૌથી ખરાબ હાલત ગીર સોમનાથ જિલ્લાની છે. અહીં ગીર ગઢડા તાલુકામાં માત્ર 2 કલાક પડેલા કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે. હરમડિયા અને તેની આસપાસના ગામડાઓમાં ખેતીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. વાતાવરણના આ પલટાથી બાગાયતી અને ઉનાળુ પાકને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને બાજરી, તલ, ડુંગળી અને અડદના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. ભારે પવનના ઝાટકાથી અનેક જગ્યાએ આંબાના ઝાડ મૂળમાંથી ધરાશાયી થઈ ગયા છે અને આંબા પરથી કાચી કેરીઓ ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલમાં આ વિસ્તારના ખેડૂતો તાત્કાલિક સર્વે કરી વહેલી તકે સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.</p> <p><strong>હજુ પણ કમોસમી વરસાદની આગાહી</strong></p> <p>ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો થાય તેવા અહેવાલો સામે આવ્યા છે. રાજસ્થાનમાં 'સાયક્લોનિક અપર એર સિસ્ટમ' સક્રિય થવાને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની પૂરેપૂરી આગાહી છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, કચ્છ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...