Skip to main content

Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ


<p>Gujarat local body Election:&nbsp;સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. 27 થી 31 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. abp અસ્મિતાને મળેલી&nbsp; EXCLUSIVE માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવા જઇ રહી છે.&nbsp; ચૂંટણી પંચ ચૂંટણીનું આયોજન બે તબક્કામાં કરશે,&nbsp; 30 એપ્રિલ મહાનગરપાલિકા અને નગરપાલિકાનું મતદાન યોજાઈ શકે છે.ત્રીજી &nbsp;મેના તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું&nbsp; મતદાન યોજાઈ શકે છે.&nbsp; 5 મેના તમામ ચૂંટણીનું એકસાથે પરિણામ જાહેર થઈ શકે છે. ચૂંટણીના સંભવિત કાર્યક્રમમાં એકાદ સપ્તાહનો ફેરફાર થવાની શક્યતા&nbsp; છે.&nbsp; ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વણસે તો ચૂંટણી કાર્યક્રમ અંગે&nbsp; અનિશ્ચિતતા પણ છે.&nbsp;</p> <p class="">ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મતદાન મથકોની યાદી, કર્મચારીઓની નિમણૂંક તથા ઈવીએમ મશીનોની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.</p> <p data-block-key="d3l76">ઉલ્લેખનિય છે કે, 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત માટે પણ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે, જેને લઈને રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ સંગઠન મજબૂત બનાવવા, ઉમેદવારો પસંદ કરવા અને પ્રચારની રણનીતિ ઘડવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.&nbsp;</p> <p data-block-key="d3l76"><strong>રાજ્ય ચૂંટણી આયોગની સઘન તૈયારીઓ અને નવા નિયમો</strong></p> <div class="google_ads_section"> <p>રાજ્યમાં લોકશાહીના આ પર્વને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચે ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં જ આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે 'માસ્ટર ટ્રેનર્સ' ની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પાયાના સ્તરે અધિકારીઓને તાલીમ આપશે. વધુમાં, પંચે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે કે જે ઈમારતોનો ઉપયોગ મતદાન મથક તરીકે થવાનો છે, તેવી જર્જરિત ઇમારતોને તોડવા કે પાડવા પર અત્યારથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન સર્જાય.</p> <p>ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે&nbsp;<a title="બજેટ" href="https://ift.tt/TKz4mMJ" data-type="interlinkingkeywords">બજેટ</a>&nbsp;સત્રના સમાપન પછી તરત જ આચારસંહિતા લાગુ થઈ શકે છે. આ આશંકાને પગલે રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલા વિકાસકાર્યો અને નવી જાહેરાતોને વહેલી તકે પૂર્ણ કરવા માટે દોડધામ શરૂ થઈ છે. એકવાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા અમલી બનશે, જેના કારણે નવી યોજનાઓના લોકાર્પણ કે ખાતમુહૂર્ત પર રોક લાગી જશે.</p> <p>&nbsp;</p> </div>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...