Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?

<p><strong>ગાંધીનગર:</strong> ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની કોર ટીમની જાહેરાત કર્યા બાદ હવે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની જાહેરાત કરી છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિત 19 સભ્યો પાર્લામેન્ટરી બોર્ડમાં છે. </p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">પ્રદેશ અધ્યક્ષ શ્રી <a href="https://twitter.com/iJagdishBJP?ref_src=twsrc%5Etfw">@iJagdishBJP</a> દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી. <br /><br />પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. <a href="https://t.co/UwBusuaXDx">pic.twitter.com/UwBusuaXDx</a></p> — BJP Gujarat (@BJP4Gujarat) <a href="https://twitter.com/BJP4Gujarat/status/2036741661007679506?ref_src=twsrc%5Etfw">March 25, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>ભાજપે પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત પ્રદેશના અનેક દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. <br /> <br /><strong>ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી સમિતિ </strong></p> <ul> <li>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ</li> <li>નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી</li> <li>પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા</li> <li>પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર</li> <li>પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ</li> <li>પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા</li> <li>પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા</li> <li>પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ</li> <li>મંત્રી પ્રદ્યુમન વાજા</li> <li>સાંસદ અને પ્રદેશ ઉપપ્રમુખ રાજેશ ચુડાસમા</li> <li>પ્રદેશ ઉપપ્રમુખ નટુજી ઠાકોર</li> <li>અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા</li> <li>મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયા</li> <li>વિશેષ આમંત્રિત તરીકે સી.આર પાટીલ</li> <li>વિશેષ આમંત્રિત તરીકે પરશોત્તમ રૂપાલા</li> <li>વિશેષ આમંત્રિત તરીકે જીતુ વાઘાણી</li> <li>પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી ફળદુ</li> <li>આમંત્રિત સભ્ય તરીકે જયશ્રીબેન પટેલ</li> <li>આમંત્રિત સભ્ય તરીકે વર્ષાબેન દોશી</li> </ul> <p><strong>ભાજપના કોર ગ્રુપના 11 સભ્યોના નામ જાહેર કરાયા હતા</strong></p> <p>સરકાર અને સંગઠન વચ્ચે સંકલનની મહત્વપૂર્ણ કડી ગણાતા પક્ષના કોર ગ્રુપની રચના એક સપ્તાહ પહેલા જ કરવામાં આવી હતી. જેમાં 11 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપના હાઈકમાન્ડ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશ ભાજપના કોર ગ્રુપના 11 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (કર્ણાવતી) પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્ર્વકર્મા (કર્ણાવતી), કેન્દ્રીય જળશકિત મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (સુરત શહેર), નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (સુરત શહેર) પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી (ગાંધીનગર શહેર), રાજય સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી, (ભાવનગર શહેર), કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ (મહેસાણા), પ્રદેશ ભાજપ અનુસુચિત જન જાતિ મોરચાના પ્રમુખ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા (સુરત જિલ્લો), રાજય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા (કર્ણાવતી), પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (અમદાવાદ જિલ્લો) અને આઈ.કે. જાડેજા (સુરેન્દ્રનગર)નો કોર ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે.</p>
Comments
Post a Comment