
<p style="text-align: justify;"><strong>Gujarat Weather:</strong> ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરવામાં આવી છે. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે રાજ્યમાં આ સ્થિતિ સર્જાઈ છે.</p> <p style="text-align: justify;"> </p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="zxx"><a href="https://t.co/Wbijb3Ez2f">pic.twitter.com/Wbijb3Ez2f</a></p> — IMD Ahmedbad (@IMDAHMEDABAD) <a href="https://twitter.com/IMDAHMEDABAD/status/2037795294419787995?ref_src=twsrc%5Etfw">March 28, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;">આ આગાહી મુજબ, આજે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે, જ્યારે આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.</p> <p>રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગે ખેડૂતોનું ટેન્શન વધારતા માઠા સમાચાર આપ્યા છે. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતમાં આજથી કેટલાક દિવસો સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે પડશે. વાતાવરણના આ પલટાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને સામાન્ય લોકોને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ ખેતરમાં ઉભા પાક પર પાણી ફરી વળવાની બીકે ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.</p> <p>1 અને 2 એપ્રિલ: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વચ્ચે એકાદ દિવસના વિરામ બાદ 1 અને 2 એપ્રિલે પણ ફરીથી ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.</p> <p><strong>ભારે પવન ફૂંકાશે: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના</strong></p> <p>ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. આ દરિયાઈ અને તોફાની પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. </p> <p><strong>ખેડૂતોમાં ચિંતાનો માહોલ</strong></p> <p>ભર ઉનાળે વરસાદની આ આગાહી ધરતીપુત્રો માટે મોટી આફત સમાન છે. અત્યારે ખેતરોમાં પાક તૈયાર થઈને ઉભો છે અથવા કાપણીના તબક્કે છે. આવા સમયે અચાનક બદલાતા વાતાવરણ અને ભારે પવન સાથેના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં મોટા નુકસાનનો ભય સતાવી રહ્યો છે. </p>
Comments
Post a Comment