Skip to main content

Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં


<p><strong>Gujarat Weather Update:</strong> વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે અને આવતી કાલે કમોસમી વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન &nbsp;સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;20 માર્ચે એટલે કે આવતી કાલે બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં &nbsp;પણ કમોસમી વરસાદનું અનુમાન છે. રાજ્યભરમાં આજ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સવારમાં ભારે પવન ફૂંકાતા ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનની ગતિ એટલી તેજ હતી કે, કેટલીક જગ્યાં છાપરા અને હોર્ડિંગ્સ પણ ઉડ્યાં હતા. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજળી પણ ગૂલ થઇ જતાં અંધારપટ્ટ છવાયો હતો. &nbsp;</p> <p>અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો વહેલી સવારે વાવાઝોડા જોવા તેજ પવન શરૂ થતાં અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ ઉડ્યા હતા. સવારમાં ભારે પવનના કારણે ઘૂળની ડમરી ઉડતાં વિઝિબિલીટી પણ ડાઉન થઇ ગઇ હતી. જેથી વહેલી સવારે જતાં વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે 17 માર્ચથી વાતાવરણમાં પલટાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. હવામાન વિભાગે ભારે પવન સાથે છૂટછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ભારે પવનના કારણે તૈયાર થયેલા શિયાળાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો બાગાયતી ખેતીને પણ પારાવાર નુકસાન થઇ શકે છે. પવનના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પવનના કારણે કાચી કેરીઓ ખરી જતાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.&nbsp;</p> <p><br />હવામાન વિભાગની વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે &nbsp;કચ્છમાંભારે &nbsp;પવન સાથે &nbsp;વરસાદી ઝાપટા આવ્યાં હતા. &nbsp;નખત્રાણા, ભુજ, માનકુવા અને માધાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં પણ &nbsp;તેજ પવન ફૂંકાયો હતો. ભચાઉ, રાપર, ગાંધીધામ અને ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો હતો. પાટણમાં સવારથી મોસમનો મિજાજ બદલ્યો હતો. &nbsp;ભારે પવન સાથે ધૂળભરી આંધી આવી હતી. પાટણ શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા &nbsp;સલામતીના ભાગરૂપે કેટલાક વિસ્તારમાં UGVCL તરફથી વીજ પુરવઠો બંધ કરી દેવા.ો હતો જેના કારણે વહેલી સવાર અંધારપટ્ટની સ્થિતિ સર્જાઇ હતી.&nbsp;</p> <p>સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી જ મૌસમનો મિજાજ બદલ્યો હતો. સુરેન્દ્રનગરના સમગ્ર જિલ્લામાં &nbsp;ભારે પવન સાથે વરસાદ વરસ્યો, શહેરમાં ભારે પવનને કારણે વીજ કંપનીએ વીજ પુરવઠો બંધ કરી કરી દેતા &nbsp;અનેક વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો હતો.&nbsp;</p> <p>મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. &nbsp;અનેક વિસ્તારમાં ભારે પવન &nbsp;ફૂંકાયો છે. ભારે પવનને કારણે કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો છે. &nbsp;બહુચરાજી, મોઢેરા, ઉંઝા સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે.&nbsp;</p> <p>બનાસકાંઠામાં સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, &nbsp;ધાનેરા સહિત દાંતીવાડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો, ધાનેરા બોર્ડર વિસ્તારમાં આવેલ બાપલા, વાછોલ,કુંડી સહિત ના વિસ્તારોમાં મોસમનો મિજાજ બગડતાં ખેડુતો ચિંતિત થયા છે. ઘઉં, બટાકાં સહિતના પાકોમાં નુકશાનની ભીતિ સેવા રહી છે. કાપણીના સમય વરસાદ આવતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મૂકાયા છે.&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...