
<p style="text-align: justify;"><strong>Gujarat Weather:</strong> હવામાન વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 29 અને 30 માર્ચના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી મુજબ, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. માત્ર માર્ચના અંતમાં જ નહીં, પરંતુ એપ્રિલ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 અને 2 એપ્રિલે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેતરમાં ઉભા પાક વચ્ચે અચાનક બદલાતા વાતાવરણ અને ભારે પવન સાથેના વરસાદને કારણે ખેડૂતોમાં પાક નુકસાનીનો ભય જોવા મળી રહ્યો છે.</p> <p style="text-align: justify;"><strong>ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત</strong></p> <p style="text-align: justify;">2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત છે. ભારત પર આ જે સિસ્ટમ બનેલી છે, જે ગુજરાત પણ આવતા વાદળછાયા વાતવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસશે. ઇરાન ઓમાનના પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં હાલ વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ ભારત તરફ આવી રહી છે તેની ગુજરાત પર અસર થવાની શકયતા છે. જો કે આ સિસ્ટમની અસર 2થી 3 દિવસ બાદ વધુ જોવા મળશે. 26 માર્ચ બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 29, 30 અને 31 માર્ચ સુધી ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રમાં વરસાદની પડશે. </p> <p style="text-align: justify;"><strong>કમોસમી વરસાદથી ક્યાં જિલ્લા થશે પ્રભાવિત</strong><br />હવામાન વિભાગની આગાહી મુજબ 29 માર્ચથી 31 માર્ચ સુધી કમોસમી વરસાદનું અનુમાન છે. આ સમય દરમિયાન મોટાભાગના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની શકયતા છે. સૌથી પહેલા વાતાવરણમાં પલટાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે, બાદ દ્રારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, વાવ, થરાદ બનાસકાંઠાના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી,આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ માવઠાની શક્યા છે. નવસારી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ,આ તમામ વિસ્તારમાં છૂટછવાયો ગાજવીજ સાથે વરસા વરસશે, આ કમોસમી વરસાદના કારણે શિયાળાના તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વાતાવરણમાં પલટો આવતા ગુજરાતમાં તાપમાનમાં પણ ઘટાડો થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે.</p> <div class="ai-summary"> <div class="ai-summary-inner"> <div class="ai-summary-label"> <div class="ai-icon-div" style="text-align: justify;"> </div> </div> </div> </div>
Comments
Post a Comment