Skip to main content

અનાથ-દિવ્યાંગ દીકરીઓના લગ્ન માટે સરકારી સહાય:સુરેન્દ્રનગરમાં 28 અનાથ દીકરીના કન્યાદાન માટે 56 લાખ, 168 દિવ્યાંગ યુગલોને 84 લાખની સહાય


https://ift.tt/I6WqZLM જ્યારે કોઈ માસૂમ બાળકી પોતાના માથા પરથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેસે છે, ત્યારે સમાજ અને બદલાતી વ્યવસ્થાઓ વચ્ચે તેનું ભવિષ્ય એક ધૂંધળો સવાલ બની જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનાથ અને દિવ્યાંગ દિકરીઓના લગ્નમાં પાલક માતા-પિતા યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઉમ્મીદ બની છે. સામાન્ય રીતે પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ માસિક સહાય મેળવતી અનાથ દીકરીઓ જ્યારે 18 વર્ષ પૂર્ણ કરી પ્રભુતામાં પગલાં પાડે છે, ત્યારે તેમના નવા ઘરની શરૂઆત માટે સરકાર દ્વારા એકસાથે 2,00,000ની કન્યાદાન ભેટ આપવામાં આવે છે. આ રકમ ડીબીટી મારફતે સીધી દીકરીના જ બેંક ખાતામાં જમા થાય છે. પાછલા 4 વર્ષમાં આવી 28 દીકરીને કુલ 56 લાખની માતબર સહાય ચૂકવી વહીવટી તંત્રે પોતાની સામાજિક જવાબદારી અદા કરી છે. આ જ રીતે દિવ્યાંગ લગ્ન સહાય યોજના જો લગ્ન કરનાર વર અને કન્યા બંને 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો આખા યુગલને વ્યક્તિ દીઠ 50 હજાર લેખે કુલ 1,00,000ની સહાય મળે છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારે તો તેને પણ 50,000ની પ્રોત્સાહક સહાય ચૂકવાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા 4 વર્ષના ગાળામાં આવા 168 લાભાર્થીને કુલ 84 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડયા છે. 21 પ્રકારની દિવ્યાંગતામાંથી કોઈ પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અનિવાર્ય અનાથ દીકરી લગ્ન સહાય દીકરીના લગ્ન 18 વર્ષ પૂર્ણ થયા બાદ અને તા.1-4-2023 પછી થયેલા હોવા જોઈએ. દિવ્યાંગ લગ્ન સહાયમાં કન્યાની ઉંમર18 વર્ષથી વધુ અને યુવકની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. 21 પ્રકારની દિવ્યાંગતામાંથી કોઈ પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. જેમાં વર-કન્યાની જન્મ તારીખના પુરાવા, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, પાલક માતા-પિતા યોજનાનો મંજૂરી પત્ર અથવા સત્તાવાર દિવ્યાંગતા પ્રમાણપત્ર, વર-કન્યાના ચૂંટણી કાર્ડ, લાભાર્થીની બેંક પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલ આપવાની હોય છે.યોજનાઓનો લાભ મેળવવા જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી રૂબરૂ અથવા ઓનલાઇન પોર્ટલ https:/esamajkalyan.‎gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...