Skip to main content

કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ, 7 લોકો ઘાયલ, દૂર દૂર સુધી ઉડ્યાં પતરા, જાણો અપડેટસ


<p>ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં આજે ભીષણ બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે.  બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આશરે 10 કિલોમીટર સુધી ધરા ધ્રુજી ઉઠી હતી, જ્યારે ફેક્ટરીના પતરા દૂર-દૂર સુધી ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી  છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>કપડવંજના ડમ્પિંગ સાઇટ નજીક આવેલી ફટાકડા ફેક્ટરીમાં અચાનક થયેલા ભીષણ વિસ્ફોટે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. બ્લાસ્ટના જોરદાર અવાજથી આસપાસના ગામોના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. ઘટનાસ્થળે ફેક્ટરીના પતરા અને કાટમાળ દૂર સુધી ફંગોળાઈ જતાં વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="જેતપરમાં ખેડૂત આંદોલનનો દસમો દિવસ: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડી, ઉપવાસી ખેડૂતોમાં રોષ" href="https://ift.tt/83VYnjg" target="_self">જેતપરમાં ખેડૂત આંદોલનનો દસમો દિવસ: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડી, ઉપવાસી ખેડૂતોમાં રોષ</a></strong></p> <p>ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલા, કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્યના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે ફેક્ટરીમાં આશરે 17 લોકો હાજર હતા અને પ્રાથમિક માહિતી મુજબ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી.</p> <p>બીજી તરફ પ્રાંત અધિકારીએ પ્રાથમિક અહેવાલમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવ્યું છે. જેમાંથી બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ અને એકને નડિયાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે, જ્યારે મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે.</p> <p>આ ઘટનાએ ફેક્ટરી કાયદેસર હતી કે ગેરકાયદેસર તે મુદ્દે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો લાંબા સમયથી અહીં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી ધમધમતી હોવાના આક્ષેપો કરી રહ્યા છે. મહત્વનું છે કે માત્ર ત્રણ દિવસ પહેલા જ ખેડા SOGએ વસો વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરી અને ત્રણ ગોડાઉનનો પર્દાફાશ કર્યો હતો.</p> <p>વર્ષ 2025માં બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા. ત્યારે કપડવંજની આ ઘટના બાદ ફરી એકવાર ફટાકડા ઉદ્યોગમાં સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.</p> <p>હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ અને ફેક્ટરીની કાયદેસરની સ્થિતિ અંગેનો ખુલાસો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...