Skip to main content

સગર્ભા મહિલાઓના પોષણયુક્ત આહારની કાળાબજારીનો પર્દાફાશ, મોડાસામાં જથ્થો ઝડપાયો


<p>અરવલ્લી જિલ્લાના મોડાસામાં આંગણવાડીના બાળકો અને સગર્ભા મહિલાઓને વિતરણ માટેના પોષણયુક્ત આહારની કાળાબજારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોડાસાના માલપુર રોડ પર એક પીકઅપ વાનમાંથી બાળ ભોગ અને પોષણયુક્ત આહારનો જથ્થો ઝડપાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો મહિસાગર જિલ્લાના ખાનપુર સ્થિત સરકારી ગોડાઉનમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. ઘટનાના બે દિવસ બાદ મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પીકઅપ વાનના ચાલક, ગોડાઉનના માલિક અને ગોડાઉન મેનેજરનો સમાવેશ થાય છે.</p> <p>આરોપ છે કે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો તેમજ સગર્ભા મહિલાઓને વિતરણ માટેનો પોષણક્ષમ આહાર ગેરકાયદેસર રીતે વેચાણ માટે મોકલવામાં આવી રહ્યો હતો. મોડાસાથી ઝડપાયેલો આહારનો જથ્થો મહિસાગર જિલ્લાથી લાવવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો" href="https://ift.tt/EKmJfvg" target="_self">બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો</a></strong></p> <p>મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પક્ષના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ સપ્લાય એજન્સીના પેટા કોન્ટ્રાક્ટરે જથ્થો ખાનપુરનો હોવાનું જણાવ્યું છે, તો બીજી તરફ સંબંધિત અધિકારીઓ આ જથ્થો મહિસાગર જિલ્લાનો ન હોવાનું દાવો કરી રહ્યા છે.</p> <p>આ ઘટનાએ આંગણવાડીના લાભાર્થી બાળકો અને સગર્ભા મહિલાઓ માટેના પોષણયુક્ત આહારના વિતરણ તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાળાબજારીના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.આ મામલામાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા વચ્ચે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.</p> <h3>અગાઉ પણ પ્રાંતિજમાંથી ઝડપાયો હતો જથ્થો</h3> <p>અગાઉ પણ પ્રાંતિજ વિસ્તારમાંથી આ જ પ્રકારે આંગણવાડીના પોષણક્ષમ આહારની હેરાફેરીનો જથ્થો પકડાયો હતો, જેના કારણે આ પ્રકારની હેરાફેરીમાં એક મોટું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બાળકોના હકના આહારને બજારમાં વેચવાના આ કૌભાંડે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ જથ્થો કોણે મોકલ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો, તે દિશામાં તપાસ તેજ કરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...