Skip to main content

ચોમાસામાં આચાર્ય- શિક્ષકોને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ, ગાઈડલાઈન જાહેર


<p><strong>Monsoon Safety Guidelines for Schools:</strong>  ગુજરાતમાં ચોમાસાની શરૂઆત અને નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે વિશેષ સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિઓ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>પરિપત્ર અનુસાર, ચોમાસા દરમિયાન સ્કૂલમાં અથવા વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં તમામ જરૂરી સમારકામની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. સ્કૂલોમાં લટકતા વીજ વાયરો, ઈલેક્ટ્રિક ફિટિંગ્સ, દિવાલો અને છતની મરામત સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવાયું છે. જરૂરિયાત મુજબ સ્થાનિક તંત્રની મદદ લેવાની પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સરકારે સ્કૂલો માટે સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. આચાર્ય-શિક્ષકોને સ્કૂલમાં વરસાદ પહેલા ઇલેક્ટ્રિક સમારકામ સહિતના કામો પૂર્ણ કરવા આદેશ કરાયો છે. દુર્ઘટના ટાળવા લટકતા વાયરો દૂર કરવા, વોટર સ્પાઉટ સાફ કરવા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવા જણાવાયું છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી" href="https://ift.tt/HZlf8DE" target="_self">29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી</a></strong></p> <p>સરકારે સ્કૂલોને છત પરના વોટર સ્પાઉટની સફાઈ કરવા, વધુ પાણી ભરાતી જગ્યાઓ સ્વચ્છ રાખવા, જૂના અને જોખમી ફર્નિચરને દૂર કરવા તેમજ એમસીબી અને એલસીબી જેવી સુરક્ષા વ્યવસ્થાઓ કાર્યરત રાખવા જણાવ્યું છે. ઉપરાંત, જોખમજનક વિસ્તારોમાં ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.</p> <p>વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓને લોક મારીને બંધ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન કોઈ આપત્તિ સર્જાય તો તેનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે દરેક સ્કૂલમાં સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અમલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.</p> <p>આ ઉપરાંત, સ્કૂલોના નોટિસ બોર્ડ પર સ્થાનિક તલાટી, ડોક્ટર, તરવૈયા, ફાયર બ્રિગેડ સેવા અને એમ્બ્યુલન્સ સહિતના મહત્વના સંપર્ક નંબર લખવા  તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિમાં આચાર્ય અને શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના મથક ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે.</p> <p>સરકારના આ પગલાંનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવો અને કોઈપણ પ્રકારની દુર્ઘટના અટકાવવાનો છે</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...