Skip to main content

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


<p>Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. સાનૂકુળ સ્થિતિએ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. ચોમાસું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં તેમજ મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઝારખંડના વધુ કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે. આગામી બે ત્રણ દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, યુપીના વધુ ભાગો અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને આવરી લેશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>આજે  કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર,રાજકોટ, બોટાદ,અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ" href="https://ift.tt/dhJNjte" target="_self">Weather Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 22 રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ</a></strong></p> <p>આ સિવાય ગાંધીનગર, મહીસાગર અને છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે.દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.</p> <p>દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.</p> <p>નોંધનિય છે કે, મોનસૂનની ગતિ ધીમી હોવાથી ધીરે ધીરે ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 5 જુલાઇ બાદ મોનસૂન ગુજરાતમાં ગતિ પકડે અને સાર્વત્રિક વરસાદ નોંધાય તેવો અનુમાન વ્યક્ત કર્યો છે. 1 જુલાઇ સુધી ગુજકાતના દક્ષિણ વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસશે. ભારેથી અતિભારે વરસાદની કોઇ શક્યતા નથી.</p> <p>ઘણા રાજ્યોમાં હજુ પણ અકળાવી દેતી ગરમી પડી રહી છે.  દરમિયાન, હવામાન વિભાગે થોડી રાહત આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાએ ફરી એકવાર વેગ પકડ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહારના બાકીના ભાગો તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ઝડપથી આગળ વધશે. પરિણામે, હવામાન વિભાગે દેશભરના 22 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.</p> <p>IMD અનુસાર, ચોમાસાની ઉત્તરીય સીમા 25 જૂન સુધીમાં સુરત, ઇન્દોર, મંડલા અને મોતીહારીમાંથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આ અઠવાડિયે પશ્ચિમ કિનારા, ઉત્તરપૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. 27 થી 29 જૂન દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. 28 જૂને આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

આજે શહેરના વોર્ડ નં.6ની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે

- રવિવારે માત્ર 29.45 ટકા જેટલું નિરસ મતદાન થયું હતું - આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ડનં-૬ની યોજાયેલ પેટા ચુંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. માત્ર ૨૯.૪૫ ટકા નિરસ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે કોનું નસીબ ખુલશે તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકાના વોર્ડ-૬ની એક બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૨૯.૫૪ ટકા જ મતદાન થયુ હતુ. આજે મતગણતરી થવાની છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ એક સદસ્યએ રાજીનામુ આપી દીધુ હતુ.  અનેક પાયાની સુવિધાથી વંચિત વોર્ડમાં આ વખતે નિરસ મતદાનમાં મતદારોની નારાજગી વ્યકત થઈ હોવાનું મનાય છે. અનેક મતદારોએ મત આપવા જવાનું ટાળીને પોતાની નારાજગી વ્યકત કરી છે. તો ૨૯.૫૪ ટકા મતદારોએ મત આપ્યા છે. તેમા નગર પાલીકાના ભાજપના શાસકો પર વિશ્વાસ અકબંધ રાખ્યો છે કે પરિવર્તનની દીશામાં મતદાન કર્યુ છે તે આજનું પરિણામ નક્કી કરશે. ભાજપ અને આમઆદમી પાર્ટીએ આ વોર્ડમાં પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા ...