Skip to main content

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ


<p><strong>Chandipura virus case Update: </strong>ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ બાળકનું મોત નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બીજી તરફ જામનગરમાં પણ બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, જોકે તેનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજુ બાકી છે. પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં પણ નવા શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p><strong>ભાવનગરમાં ચાંદીપુરાથી પ્રથમ મોત</strong></p> <p>ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. બાળકને 8 જુલાઈના રોજ ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 9 જુલાઈના રોજ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાદમાં આવેલા લેબોરેટરી રિપોર્ટમાં બાળક ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કોકીલાબેન સોલંકીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.</p> <p><strong>જામનગરમાં બે વર્ષની બાળકીનું મોત</strong></p> <p>જામનગરમાં બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, તેના સેમ્પલનો રિપોર્ટ હજુ આવવાનો બાકી હોવાથી આરોગ્ય વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ" href="https://ift.tt/Qzih907" target="_self">Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ</a></strong></p> <p><strong>પંચમહાલમાં વધુ ત્રણ શંકાસ્પદ કેસ</strong></p> <p>પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં શહેરાના હોંસેલાવ ગામના બે વર્ષના બાળક તેમજ મોરવા હડફના ખાબડા ગામ અને કાલોલની એક બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 20 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં પૈકી  પાંચ માસૂમોના મોત થયા છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ  પર છે.</p> <p><strong>સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ</strong></p> <p>સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 6 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જેમાં એક બાળક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અને બે બાળકો વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એક બાળક સારવાર બાદ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી ત્રણ બાળ દર્દીઓના મોત નોંધાયા છે.</p> <p><strong>આરોગ્ય વિભાગની અપીલ</strong></p> <p>રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે માતા-પિતાને બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ આવવી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની અપીલ કરી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, સેમ્પલિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી વધુ તેજ કરવામાં આવી છે.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...