Skip to main content

જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા


<p><strong>Junagadh Rain Updates: </strong>જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ભારે તાંડવ મચાવતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા માંગરોળ તાલુકામાં માત્ર 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ 12 ઈંચથી વધુ વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p>ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના 22 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. સમઢિયાળા વિસ્તારમાં ધસમસતા પૂરના પાણીમાં 19 લોકો ફસાઈ ગયા હતા, જેમનું ફાયર બ્રિગેડ, SDRF અને NDRFની મદદથી સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાણીમાં એક રિક્ષા અને બે કાર પણ ફસાઈ ગઈ હતી.</p> <p>જિલ્લાના ચાર તાલુકાઓમાં મળીને 62 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં 22.24 ઈંચ, માળિયા હાટીનામાં 14.09 ઈંચ, કેશોદમાં 12.80 ઈંચ અને મેંદરડામાં 12.56 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત વંથલીમાં 4 ઈંચ, માણાવદરમાં 3 ઈંચ તથા જૂનાગઢ શહેર, ગ્રામ્ય વિસ્તાર અને ભેસાણમાં આશરે 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. ગિરનાર પર્વત વિસ્તારમાં પણ 2 ઈંચ વરસાદ સાથે કુલ વરસાદનો આંક 7 ઈંચ સુધી પહોંચ્યો છે.</p> <p>માંગરોળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. માનખેત્રા સહિતના ગામો તરફ જતાં માર્ગો પર પાણી ફરી વળતાં અવરજવર મુશ્કેલ બની છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ખેતીની જમીનનું ધોવાણ થવાના અહેવાલો પણ સામે આવ્યા છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે" href="https://ift.tt/5enQPRc" target="_self">Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે</a></strong></p> <p>હુસેનાબાદથી સેપાપા તરફ જતો માર્ગ ભારે વરસાદ અને ધોવાણને કારણે જોખમી બનતાં પ્રશાસને આ માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપી છે. અનેક કોઝ-વે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ત્યાંથી પસાર ન થવા માટે પણ અપીલ કરવામાં આવી છે.</p> <p>માળિયા હાટીનામાં આવેલા ભાખરવડ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની જોરદાર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે. ભાખરવડ, વડાળા, આબેચા, ગડુ અને સમઢિયાળા સહિતના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.</p> <p>મેંદરડા વિસ્તારમાં સતત વરસાદને કારણે રાજેસર અને મધુવંતી નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બંને નદીઓ બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. મેંદરડા-સાસણ રોડ પર પણ વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે.</p> <p>કેશોદમાં અનરાધાર વરસાદને કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક વધતાં પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે.</p> <p>હવામાન વિભાગે આજે પણ જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. માત્ર ત્રણ દિવસમાં જ સિઝનનો આશરે 70 ટકા વરસાદ વરસી જતાં સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. પ્રશાસને નદીકાંઠાના વિસ્તારો, કોઝ-વે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ અપીલ કરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...