Skip to main content

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર


<p><strong>gujarat Rain Update:  </strong>ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાજ્યના કુલ 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3.70 ઈંચ નોંધાયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p class="isSelectedEnd">આંકડા મુજબ નવસારીના ખેરગામમાં 2.17 ઈંચ, સુરતના કામરેજમાં 2.13 ઈંચ, આણંદના પેટલાદમાં 2.05 ઈંચ અને સોજીત્રામાં 1.97 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના ઘોઘંબામાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો હતો.વલસાડ જિલ્લાના નાનપોંઢામાં 1.46 ઈંચ અને ધરમપુરમાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના પલસાણા ખાતે 1.42 ઈંચ અને બારડોલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં પણ 1.42 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભરૂચના વાલિયામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p class="isSelectedEnd">આ ઉપરાંત ડાંગના વઘઈ, વડોદરાના શિનોર, નર્મદા જિલ્લાના તિલકવાડા, બોટાદના બરવાળા તેમજ વડોદરાના કરજણ અને વલસાડમાં પણ 1-1 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડું બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય નહીં તે માટે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.</p> <p class="isSelectedEnd"><strong>આ પણ વાંચો: <a title="ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ" href="https://ift.tt/wHCdoID" target="_self">ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ</a></strong></p> <p class="isSelectedEnd"><strong>ગુજરાતમાં મોનસૂન બન્યું એક્ટિવ</strong></p> <p>અલનીનોની અસર અને વરસાદની ઘટ વચ્ચે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર વધશે, એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યમાં મધ્યમ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. </p> <p>હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ત્રણ મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અમૃતસરથી પસાર થતી મોનસૂન ટ્રફના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. </p> <p>રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી તેમની સંયુક્ત અસરના ભાગરૂપે વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.</p> <p>અલનીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. ચોમાસાનો દોઢ મહિનો વિતી ગયો છતાં પણ રાજ્યમાં સારો વરસાદ નથી વરસ્યો અનેક જિલ્લામાં હજુ પણ વાવણી નથી.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4.68 ઈંચ (117 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 9.80 ઈંચ (245 મીમી) વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્યની સરખામણીએ 31 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જો કે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા હોવાથી વરસાદની આ ખાધમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p> <p><strong>આગામી દિવસોની આગાહી:</strong></p> <p>18 જુલાઈથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.<br />પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ રહેશે.<br />21થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...