Skip to main content

ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ


<p><strong>Gujarat rain nowcast alert:</strong> ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી રહી છે ત્યારે અમદાવાદ હવામાન કેન્દ્ર (Meteorological Centre) દ્વારા આજે સાંજે 4:00 વાગ્યે આગામી 3 કલાક માટે (સાંજે 7 વાગ્યા સુધી) તાકીદનું 'નાવકાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ ચેતવણી અનુસાર, રાજ્યના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાશે અને વીજળીના કડાકા-ભડાકા તથા તેજ પવન સાથે ભારેથી મધ્યમ વરસાદ ખાબકવાની પ્રબળ સંભાવના છે.</p> <p><strong>ભારે વરસાદ અને વાવાઝોડાની આશંકા (Heavy Rain Alert)</strong></p> <p>હવામાન વિભાગના વિશેષ બુલેટિન મુજબ, આગામી 3 કલાકમાં રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કલાકના 15 મીમીથી વધુ ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની (In gusts) અને મધ્યમ દરજ્જાના વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભયજનક બાબત એ છે કે આ વિસ્તારોમાં જમીન પર વીજળી પડવાની સંભાવના 60% થી પણ વધુ દર્શાવવામાં આવી છે.</p> <p>અસરગ્રસ્ત જિલ્લાઓ: પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરત.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી (Moderate Rain)</strong></p> <p>રાજ્યના મધ્ય અને પૂર્વ ભાગોમાં વાતાવરણ સામાન્ય કરતા થોડું હળવું રહેશે પરંતુ વરસાદ અવિરત ચાલુ રહી શકે છે. આ વિસ્તારોમાં 5 થી 15 મીમી પ્રતિ કલાકની ગતિએ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. અહીં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેશે અને વીજળી પડવાની શક્યતા 30% થી 60% જેટલી જોવામાં આવી રહી છે.</p> <p>અસરગ્રસ્ત જિલ્લાઓ: અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-rain-red-alert-surat-navsari-heavy-monsoon-jandk-cloudburst-984303">ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!</a></strong></p> <p><strong>ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ (Light Rain)</strong></p> <p>જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક અલગ-અલગ સ્થળો પર 5 મીમીથી ઓછો હળવો વરસાદ અને સામાન્ય ગાજવીજ થવાની સંભાવના છે. અહીં વીજળી પડવાની શક્યતા પ્રમાણમાં ઘણી ઓછી (30% થી ઓછી) છે.</p> <p>અસરગ્રસ્ત જિલ્લાઓ: મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબી.</p> <p>તંત્રની અપીલ: "હવામાનમાં આવેલા આ અચાનક બદલાવને પગલે નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે વીજળીના ગડગડાટ સમયે ખુલ્લા મેદાનો કે ઝાડ નીચે ન ઊભા રહે. સુરક્ષિત સ્થળે આશરો લેવો અને પૂરતી સાવચેતી રાખવી."</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-rain-news-navsari-highest-366-inches-amreli-dang-weather-updates-984214">ગુજરાતના 53 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ; આ જિલ્લામાં ખાબક્યો સૌથી વધુ 3.6 ઈંચ વરસાદ</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...