Skip to main content

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર


<p><strong>Gujarat Weathe:</strong> ગુજરાતમાં મેઘરાજાની સવારીને લઈને હવામાન વિભાગે વધુ એક તાત્કાલિક આગાહી (Nowcast) જાહેર કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આજે સાંજે 4:00 વાગ્યે જાહેર કરાયેલા આ લેટેસ્ટ બુલેટિન મુજબ, આગામી 3 કલાક એટલે કે સાંજના 7:00 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જેને ધ્યાનમાં રાખીને અમુક જિલ્લાઓમાં ખાસ 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.</p> <p>લેટેસ્ટ અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. નવસારી, ડાંગ, તાપી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં 5 થી 15 મીમી પ્રતિ કલાકની તીવ્રતાથી વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં વસતા નાગરિકોને હવામાનના આ બદલાવ પ્રત્યે વિશેષ સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>વરસાદની સાથે આ દક્ષિણના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને હળવી ગાજવીજની પણ પૂરી શક્યતા છે. જો કે, રાહતની વાત એ છે કે અહીં વાદળથી જમીન પર વીજળી પડવાની સંભાવના 30% કરતાં ઓછી દર્શાવવામાં આવી છે. તેમ છતાં, સ્થાનિક તંત્ર દ્વારા સામાન્ય સાવચેતી રાખવી અત્યંત જરૂરી ગણાવાઈ છે.</p> <p>બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે 5 મીમી પ્રતિ કલાકથી ઓછી તીવ્રતા ધરાવતો હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં આ હળવા ઝાપટાં જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં પણ પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-weather-update-rain-alert-orange-alert-south-gujarat-yellow-alert-986018">Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે</a></strong></p> <p>સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકની વાત કરીએ તો અહીંના અનેક જિલ્લાઓમાં મેઘાવી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પવનના કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જશે.</p> <p>મધ્ય અને દક્ષિણ ગુજરાતના અન્ય મેદાની વિસ્તારોમાં પણ હળવા વરસાદની વકી છે. જેમાં સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ અને આપણું અમદાવાદ સામેલ છે. અમદાવાદ સહિતના આ શહેરોમાં સાંજના સમયે હળવાં ઝાપટાં પડવાથી વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી શકે છે.</p> <p>આ નાઉકાસ્ટ બુલેટિનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે તમામ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે વરસાદ અને ગાજવીજ દરમિયાન જરૂરી સાવચેતી રાખવી. ખાસ કરીને જ્યારે આકાશમાં વીજળીના કડાકા-ભડાકા થતા હોય ત્યારે ખુલ્લામાં રહેવાનું ટાળવું અને કોઈ સુરક્ષિત ઇમારતમાં જ આશ્રય લેવો હિતાવહ છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/india-weather-forecast-15-states-heavy-rain-alert-updates-imd-985713">હવામાનમાં મોટો પલટો: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...