Skip to main content

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ


<p><strong>Ambalal Patel weather forecast 2026: </strong>ગુજરાતમાં હાલ ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે. તેમની નવી આગાહી મુજબ, આગામી 72 કલાક ગુજરાત માટે અત્યંત મહત્વના સાબિત થવાના છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રાજ્યના 50 ટકા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે.</p> <p>હવામાન અંગેની વિગતવાર માહિતી આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અને અમરેલી પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને પંચમહાલ અને વડોદરાના ભાગોમાં 4 ઈંચ કે તેનાથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>બીજી તરફ, અમદાવાદ અને પાટનગર ગાંધીનગરના નાગરિકોએ પણ તૈયાર રહેવું પડશે, કારણ કે આગામી 72 કલાક દરમિયાન અહીં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. જોકે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોના લોકોને હજુ થોડી નિરાશા મળી શકે છે, કારણ કે ત્યાં હાલ પૂરતો વરસાદ ઓછો રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/tomorrow-weather-forecast-rain-alert-21-states-delhi-up-haryana-wind-984805">આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન</a></strong></p> <p>સતત વરસાદ વરસ્યા બાદ ખેડૂતો અને સામાન્ય લોકોને થોડી રાહત પણ મળશે. આગામી 9 જુલાઈ પછી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદથી વિરામ એટલે કે 'વરાપ' (ઉઘાડ) નીકળવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વરાપ ક્યારે નીકળશે તે વિશે હાલ કોઈ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી.</p> <p>આ વિરામ લાંબો સમય નહીં ચાલે, કારણ કે 14 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરી સંભાવના છે. આ નવી સિસ્ટમની સીધી અસરથી 16 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે. એટલું જ નહીં, અંબાલાલ પટેલે એવી પણ ચેતવણી આપી છે કે જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પણ રાજ્યમાં અણધાર્યો અને ભારે વરસાદ પડી શકે છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-rain-monsoon-2026-seoc-report-rainfall-percentage-gujarat-weather-news-984781">ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...