Skip to main content

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ


<p><strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, 22 જુલાઈ આસપાસ એક મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. ખાસ કરીને 24થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત, 30 જુલાઈ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=3SBKcbnbDXDVvVuw" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>22 જુલાઈ આસપાસ સક્રિય થશે નવી સિસ્ટમ</strong></p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22 જુલાઈ આસપાસ બનતી હવામાન સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે. આ સિસ્ટમના પ્રભાવથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે, જેનાથી લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળવાની આશા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24, 25 અને 26 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અંદાજે ત્રણ ઇંચ અથવા તેનાથી વધુ વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p><strong>મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ</strong></p> <p>મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં છ ઇંચથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે.</p> <p><strong>ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આાગાહી</strong></p> <p>અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે. અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે પાણી ભરાવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.  કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી સહિત ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. </p> <p>આ પણ વાંચો- <a title="Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ" href="https://ift.tt/eHcRmNg" target="_self">Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ</a></p> <p><strong>દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચથી વધુ વરસાદની સંભાવના</strong></p> <p>દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલે વધુ ભારપૂર્વક આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ આઠ ઇંચ અથવા તેનાથી વધુ વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેમના અનુમાન પ્રમાણે, 30 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...