Skip to main content

મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ


<p><strong>Gujarat Rain forecast :  </strong>ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશમાં લો પ્રેશર સર્જાતા નવી વરસાદી સિસ્ટમ વિકસશે, જેના પ્રભાવથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળશે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.</p> <p>તેમણે વધુમાં જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં પણ વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં 3 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ, દસાડા અને બનાસકાંઠા જિલ્લામાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.</p> <p>હવામાનમાં આવી રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ કરીને ભારે વરસાદની આગાહી ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી  છે.</p> <p class="abp-article-title"><strong>છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ</strong></p> <p>રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે વાપીમાં માત્ર બે કલાકમાં 4.13 ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે-48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.</p> <p>હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ નોંધાયો હતો. જલાલપોરમાં 3.50 ઈંચ, કામરેજમાં 3.46 ઈંચ, સાવરકુંડલામાં 3.11 ઈંચ અને વલસાડમાં 3.03 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સુરત શહેરમાં 2.80 ઈંચ, ધરમપુરમાં 2.76 ઈંચ, પારડીમાં 2.40 ઈંચ, અંકલેશ્વરમાં 2.32 ઈંચ, ઓલપાડમાં 2.32 ઈંચ, વાપીમાં 2.20 ઈંચ, ચીખલીમાં 2.05 ઈંચ અને પલસાણામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો હતો.</p> <p>સવારે 6થી 8 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન વાપીમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ નોંધાતા ચલા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના ગરનાળા પાણીમાં ગરકાવ થઈ જતા સલામતીના ભાગરૂપે રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા. </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...