Skip to main content

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર


<p class="abp-article-title"><strong>Gujarat Rain Forecast:</strong> હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જોરદાર બનશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને  રાખીને હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હોવાથી રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>આજે ક્યાં જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ?  </strong>  </p> <p>ગીર સોમનાથ<br />અમરેલી<br />ભાવનગર<br />સુરત<br />તાપી<br />ડાંગ<br />નવસારી<br />વલસાડ</p> <p><strong>આજે ક્યાં જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ?    </strong></p> <p>જૂનાગઢ<br />રાજકોટ<br />ભરૂચ<br />વડોદરા<br />નર્મદા<br />છોટાઉદેપુર</p> <p><strong>આજે ક્યાં જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ?</strong>   </p> <p>પોરબંદર<br />બોટાદ<br />આણંદ<br />પંચમહાલ<br />દાહોદ</p> <p>વરસાદની સાથે જ રાજ્યમાં 7 જુલાઈ સુધી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ઊંચા મોજાંને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે. ભારે વરસાદ અને પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો પ્રવાસ ટાળવાની અપીલ કરવામાં આવી છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર" href="https://ift.tt/RU7SF9G" target="_self">Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર</a></strong></p> <p><strong>મુંબઈ, ગુજરાત અને કેરળમાં ભારે અને રેકોર્ડબ્રેક વરસાદ</strong></p> <p>એક તરફ મુંબઈ, ગુજરાત અને કેરળ જેવા રાજ્યો ભારે તેમજ રેકોર્ડબ્રેક વરસાદથી પ્રભાવિત થયા છે, જ્યારે બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતો અને સામાન્ય લોકોને નિરાશ કર્યા છે.</p> <p>હિમાચલ પ્રદેશમાં શનિવારે સવારે હળવો હિમવર્ષા અને અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો.  વરસાદના લીધે હિમાચલમાં 25 રસ્તાઓ બંધ છે, જેને ફરી શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે રવિવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.      </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...