Skip to main content

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા


<p><strong>Harsh Sanghavi review meeting:</strong> ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને એલર્ટ રાખવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી એક હાઈ-લેવલ રિવ્યૂ મીટિંગ યોજવામાં આવી હતી.</p> <p>વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડ ઝીરોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટર, એસપી, ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનરો પાસેથી વરસાદ અને આપત્તિ વ્યવસ્થાપનની ઝીણવટભરી વિગતો મેળવવામાં આવી હતી.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હર્ષ સંઘવીએ તમામ જિલ્લા વહીવટી તંત્રોને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ 24x7 એક્ટિવ રહેવા જોઈએ. નીચાણવાળા અને પૂરની શક્યતા ધરાવતા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તાત્કાલિક NDRF અને SDRF ની ટીમો તૈનાત કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, જોખમી વિસ્તારોમાંથી નાગરિકોને સમયસર સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવા અને ત્યાં ભોજન, પીવાનું પાણી તેમજ મેડિકલ સુવિધાઓ અચૂક પૂરી પાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-weather-update-6-districts-on-red-alert-rain-forecast-2026-984913">આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ</a></strong></p> <p>ભારે વરસાદમાં લોકોને ઓછી હાલાકી ભોગવવી પડે અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે માટે રોડ-રસ્તા, વીજ પુરવઠો અને સંદેશાવ્યવહારની સ્થિતિ પર સતત નજર રાખવા પણ તંત્રને તાકીદ કરાઈ છે. આ તકે નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આપત્તિના આ સમયે નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે." તમામ જિલ્લાઓ અને વિભાગો એકબીજા સાથે સંકલન સાધીને ત્વરિત પગલાં (Swift Response) ભરે તેવી તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/monsoon-havoc-india-heavy-rain-flood-maharashtra-kerala-gujarat-updates-984930">દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...