
<p><strong>Ambalal Patel weather forecast:</strong> ગુજરાતના સુપ્રસિદ્ધ અને ખેડૂતોના પરમ મિત્ર ગણાતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે અચાનક જ એક વીડિયો સંદેશ જાહેર કરીને હવે પછી ક્યારેય આગાહી નહીં કરવાનો મોટો નિર્ણય લેતા જ સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ભારે મૂંઝવણ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. બનાસકાંઠા, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાના ખેડૂતો તરફથી આ અંગે ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ગીર સોમનાથના ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આપવામાં આવેલી ચીમકીઓ અને ત્રાસથી કંટાળીને અંબાલાલ કાકાએ આ આકરો નિર્ણય લીધો છે, જેને પગલે ખેડૂતોમાં વિજ્ઞાન જાથા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જગતના તાતની એક જ માંગ છે કે અંબાલાલ કાકાએ કોઈપણ દબાણમાં આવ્યા વગર ખેડૂતોના હિતમાં પોતાની આગાહીઓ ચાલુ રાખવી જ જોઈએ.</p>
<p>ખેડૂતોનું કહેવું છે કે પ્રકૃતિના તત્વો પર કોઈ સચોટ દાવો ન કરી શકે, પરંતુ અંબાલાલ કાકાના વર્ષોના અનુભવ, પવનની દિશા, ગ્રહોની હલચલ અને તારાઓની ગતિવિધિના ગણિત પર આધારિત અનુમાનો 70% થી 80% અને ચોમાસા દરમિયાન તો 99% સુધી સાચા સાબિત થતા આવ્યા છે. વર્ષ 2015 અને 2017 માં આવેલા વિનાશક પૂર વખતે પણ તેમની આગાહીઓ અક્ષરશઃ સાચી પડી હતી. શિયાળા અને ઉનાળામાં થતા કવખતના માવઠાની અગાઉથી જાણ થવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં પડેલી કૃષિ પેદાશો અને જણસોની યોગ્ય વ્યવસ્થા કરીને કરોડો રૂપિયાનું નુકસાન થતું બચાવી શકતા હતા.</p>
<p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p>અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતોએ આકરા શબ્દોમાં જણાવ્યું છે કે, વિજ્ઞાન જાથા કોઈ સરકારી સંસ્થા નથી કે જે કોઈની ભૂલો કાઢતી ફરે. જાથાવાળા માત્ર સસ્તા પ્રચાર અને પોતાના નામ માટે આવા પ્રોપેગેન્ડા ઊભા કરીને અંબાલાલ કાકા પર દબાણ લાવી રહ્યા છે, જે અત્યંત દુઃખદ બાબત છે. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે જયંત પંડ્યાને શું ખબર હોય કે ખેતી કેવી રીતે થાય? જો વિજ્ઞાન જાથાને સમાજસેવાનો એટલો જ ઉભરો આવતો હોય તો સૌરાષ્ટ્રના કેટલાય ગામડાઓમાં ચાલતા દંભ, ભુવા પ્રથા અને પશુબલી જેવા કુરિવાજો કેમ બંધ નથી કરાવતા?</p>
<p><strong>આ પણ વાંચોઃ&nbsp;<a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-monsoon-update-ambalal-patel-heavy-rainfall-forecast-july-2026-985373">અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...</a></strong></p>
<p>ગુજરાતના ખેડૂતોએ એકસૂરે અંબાલાલ કાકાને હિંમત આપતા કહ્યું છે કે, આવા ક્ષણિક દબાણોની ચિંતા કર્યા વગર તેઓ પોતાની આગાહીઓ ચાલુ રાખે. વિજ્ઞાન જાથાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને આગાહીકારને પોતાના નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ, કારણ કે અંબાલાલ પટેલની આગાહીઓ માત્ર આંકડા નથી પણ ખેડૂતો માટે તેમનો પાક બચાવવાની જીવાદોરી છે.</p>
<p><strong>આ પણ વાંચોઃ&nbsp;<a href="https://gujarati.abplive.com/news/india/weather-update-13-july-heavy-rain-warning-storm-alert-seventeen-states-imd-985391">13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ</a></strong></p>
Comments
Post a Comment