Skip to main content

ખેડાના કપડવંજ નજીક હૃદયદ્રાવક ઘટના: બે બાળકો સાથે માતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, જાણો શું છે ઘટના


<p><strong>ખેડા:</strong> કપડવંજ નજીક નર્મદા કેનાલમાં મહિલાએ બે બાળકો સાથે ઝંપલાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને  ત્રણેયની શોધખોળ શરૂ કરી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p>ખેડા: કપડવંજ  હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કપડવંજ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં મહુધા તાલુકાના મહીસા ગામની એક પરિણીત મહિલાએ પોતાના બે બાળકો સાથે મોડી રાત્રે છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ કપડવંજ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે રાત્રિનો સમય અને અંધારું હોવાથી કેનાલમાં અસરકારક રીતે શોધખોળ કરવી શક્ય બની ન હતી.</p> <p>આથી આજે વહેલી સવારથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા કેનાલમાં ત્રણેયની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ મહુધા તાલુકાના મહીસા ગામની રહેવાસી તરીકે થઈ  છે. મહિલાએ બાળકો સાથે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે પ્રાથમિક તપાસ મુજબ મળતી માહિતી મુજબ, કોઈ કારણોસર મોડી સાંજે મહિલાએ પોતાના બે બાળકો સાથે નહેરમાં ઝંપલાવી દીધું હતું. મહિલાના પિતા દ્વારા સાસુ સસરાના ત્રાસને કારણે તેમની દીકરીએ નહેરમાં ઝંપલાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ, પોલિસને જાણ કરવામાં આવતા જનરક્ષક 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલિસ દ્વારા શોધખોળ કરવા સહિતની ઘટના મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  </p> <p><strong>આ પણ વાંચો : <a title="સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો" href="https://ift.tt/pno3Ywu" target="_self">સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો</a></strong></p> <p>આ સમગ્ર મામલે જ્યારે પરિણીત મહિલાના પિતા સાથે વાત કરવામાં આવી તો પિતા  જુવાનસિંહે જણાવ્યું હતું કે, "મારી દીકરી મારો ભાણો અને ભાણી નહેરમાં પડ્યા છે એવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો આ સમયે  . હુ નોકરી પર હતો. હું નોકરીથી તાબડતોબ પહોંચ્યો પિતાએ આ ઘટના માટે દીકરાના સાસુ-સસરા પર આક્ષેપ કરતા તેમને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસે બંને પરિવારના નિવેદન લઇને ઘટનાની આગાળ તપાસ શરૂ કરી છે.           </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...