Skip to main content

ગુજરાત બનશે ડેટા સેન્ટર હબ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ


<p>Gujarat Data Center Policy :ગુજરાત સરકારે ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'ની જાહેરાત કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નીતિનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ સહિત સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારનું માનવું છે કે, ડિજિટલ યુગમાં ડેટા સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ બની રહ્યું છે અને તેના માટે આધુનિક ડેટા સેન્ટરની જરૂરિયાત સતત વધી રહી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>Gujarat Data Center Policy: </strong> ગુજરાત સરકારે રાજ્યને દેશના અગ્રણી ડિજિટલ હબ તરીકે વિકસાવવા માટે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'ની જાહેરાત કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ડેટા સેન્ટર નીતિનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ એમ. કે. દાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p> <p><strong>આ પણ વાંચો:<a title="<strong> </strong>અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!" href="https://ift.tt/sKyjvIf" target="_self"><strong> </strong>અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!</a></strong></p> <p>રાજ્ય સરકારનું માનવું છે કે ડિજિટલ યુગમાં ડેટા સૌથી મૂલ્યવાન સંપત્તિ બની રહ્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ તથા ડિજિટલ સેવાઓના ઝડપી વિસ્તરણને કારણે આધુનિક ડેટા સેન્ટરની માંગ સતત વધી રહી છે. આ બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવી ડેટા સેન્ટર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે,  જે રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષવા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.</p> <p><strong>વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું </strong></p> <p>વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, 1990ના દાયકામાં ગુજરાતે વિકાસની કેટલીક તકો ગુમાવી હતી અને તે સમયે જરૂરી પગલાં લેવામાં આવ્યા નહોતા. પરંતુ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉદ્યોગ વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં ગુજરાતમાં મોટા પાયે રોકાણ આકર્ષવામાં સફળતા મેળવી હતી.</p> <p>તેમણે જણાવ્યું કે, હાલમાં સમગ્ર ભારતમાં અંદાજે 200 જેટલા ડેટા સેન્ટર કાર્યરત છે. અમેરિકામાં ડેટા સેન્ટરની કુલ ક્ષમતા લગભગ 30 ગીગાવોટ છે, જ્યારે ભારતમાં હાલ માત્ર 2થી 3 ગીગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. પાઇપલાઇનમાં રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશની ક્ષમતા વધુમાં વધુ 8 ગીગાવોટ સુધી પહોંચી શકે છે.</p> <p>મોઢવાડિયાના જણાવ્યા અનુસાર ગુજરાતને એકલા રાજ્ય તરીકે જ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર સ્થાપવાના પ્રસ્તાવો મળી ચૂક્યા છે અને આ ક્ષેત્રમાં રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.</p> <p><strong>મુખ્ય સચિવ એમ. કે. દાસનું સંબોધન </strong><br />મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું કે, આગામી સમયમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર બનશે. ગુજરાતે દેશમાં સૌથી પહેલાં ડેટા સેન્ટર પોલિસી અમલમાં મૂકી હતી, જે ભવિષ્યલક્ષી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારી છે. તેમણે જણાવ્યું કે 1 ગીગાવોટના ડેટા સેન્ટર માટે અંદાજે 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો જેટલી વીજળીની જરૂર પડે છે. ગુજરાત પાસે રિન્યુએબલ એનર્જીની મજબૂત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય આ ક્ષેત્રમાં મોટી તકો ધરાવે છે.</p> <p>રાજ્ય સરકારે દરેક ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓ ઘડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સરકારનું લક્ષ્ય ગુજરાતમાં અંદાજે ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષીને 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર વિકસાવવાનું છે, જેના કારણે રોજગાર, ડિજિટલ અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...