Skip to main content

Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય


<p>ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખી રાજ્ય સરકારે લીધો છે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય.. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, વીજ ટાવર ઉબા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.. ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર લેખે વળતર ચુકવવામાં આવતુ હતુ.. પરંતુ ખેડૂતોના વિવિધ સંગઠનો તરફથી મળતી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી.. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા, વિચાર વિમર્શ અને પરામર્શ કરીને મહત્વનો નિર્ણય કર્યો.. હવેથી ખેડૂતોને જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવ ચુકવવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે.. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતુ હતુ. પરંતુ હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તાનરી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચુકવવામાં આવશે.. ઉદાહરણ તરીકે 765 કે.વી.લાઈનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે ખેડૂતોને વળતર અપાતુ હતુ.. જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચુકવવામાં આવશે.. અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40 ટકા, ઈરેક્શન વખતે 40 ટકા અને વાયર લગાડ્યા બાદ 20 ટકા રકમની ચુકવણી થતી હતી.. જેના બદલે જમીન માલિકોને હવે એક સાથે અને અગાઉથી વળતર ચુકવવાનો નિર્ણય કરાયો.. એટલુ જ નહીં.. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નકકી થઈ શકે તે માટે સરકાર માર્કેટ રેટ કમિટિની પણ રચના કરશે.. આ કમિટિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઈઝ્ડ માર્કેટ વેલ્યુઅરને સ્થાન આપવામાં આવશે.. જેથી ખેડૂતોને અન્યાય ન થાય.. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિનો સામેલ કરાશે.. બીજી તરફ વીજ લાઈનના રાઈટ ઓફ વે કોરિડોર માટે MRCએ નિર્ધારિત થયેલ બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે.. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30 ટકા, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60 ટકા મુજબ વળતર આપવામાં આવશે.. સાથે જ સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધુ હોય, પરંતુ વીજ લાઈનનું કામ હજુ પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ મળશે.. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...