Skip to main content

Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે


<p><strong>Gujarat rain forecast:</strong> ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ અમરેલી, જામનગર અને વલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અમદાવાદ સહિત અન્ય 17 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદના આ નવા રાઉન્ડથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ગઈ છે.</p> <p><strong>ક્યાં કેવો વરસાદ અને શું છે આગાહી?</strong></p> <p>હવામાન વિભાગના આંકડા મુજબ, આજે રાજ્યના 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. આગામી સમય માટે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે:</p> <p>ઓરેન્જ એલર્ટ: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદની શક્યતા છે.</p> <p>યલો એલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.</p> <p>આ ઉપરાંત, દરિયામાં કરંટ અને પવનની ગતિને જોતા સાવચેતીના ભાગરૂપે માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.</p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>સ્થાનિક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ</strong></p> <p>અમરેલી જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો હતો. રાજુલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હિંડોરણા, ભેરાઈ, કડિયાળી અને પીપાવાવ ધામમાં સારો વરસાદ નોંધાયો છે. લાઠી શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ, વલસાડ શહેર અને જિલ્લાના કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથના ઉના અને જામનગરના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે વરસાદ પડતાં સ્થાનિક લોકો અને જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-nowcast-rain-forecast-updates-rajkot-jamnagar-weather-news-985747">ગુજરાત માટે આગામી 3 કલાક ભારે: તમામ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો મોટી આગાહી</a></strong></p> <p><strong>હજુ પણ વરસાદની મોટી ઘટ છે ચિંતાનો વિષય</strong></p> <p>હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે, પરંતુ સિઝનના આંકડાઓ હજુ પણ ચિંતાજનક છે. રાજ્યમાં અપેક્ષા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે:</p> <p>દ્વારકા: અપેક્ષિત 233 મિલીમીટરની સામે માત્ર 8.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે, એટલે કે અહીં 96 ટકાની તોતિંગ ઘટ છે.</p> <p>અમદાવાદ: 227 મિલીમીટરની અપેક્ષા સામે અત્યાર સુધી માત્ર 115 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે 47 ટકા ઓછો છે.</p> <p>સમગ્ર ગુજરાત: આખા રાજ્યની સરેરાશ વાત કરીએ તો, 255.7 મિલીમીટરની અપેક્ષા સામે અત્યાર સુધીમાં 137 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં હજુ પણ 32 ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/india-weather-forecast-15-states-heavy-rain-alert-updates-imd-985713">હવામાનમાં મોટો પલટો: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...