Skip to main content

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ


<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી તથા બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ હાલ ચોમાસું થોડા સમય માટે નબળા તબક્કામાં છે, જેના કારણે આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>જોકે, સપ્તાહના મધ્ય ભાગથી એટલે કે 15 અને 16 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ નોંધાઈ શકે છે, પરંતુ સમગ્ર રાજ્યમાં એકસાથે ભારે વરસાદની સ્થિતિ હજુ દેખાતી નથી.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ચોમાસાની સિસ્ટમ પશ્ચિમ ભારતમાં નબળી પડી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. આગામી દિવસોમાં જો બંગાળની ખાડીમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે અથવા ચોમાસાની ટ્રફ દક્ષિણ તરફ ખસશે, તો રાજ્યમાં વરસાદની ગતિવિધિ ફરી તેજ બની શકે છે.</p> <p>ખેડૂતો માટે હાલનો સમય મહત્વનો છે. વરસાદની રાહ જોતા વિસ્તારોમાં વાવેતર કરનાર ખેડૂતોએ સ્થાનિક હવામાનની આગાહી પર નજર રાખવી અને જરૂરિયાત મુજબ કૃષિ વિભાગની સલાહ અનુસાર કામગીરી કરવી યોગ્ય રહેશે. શહેરોમાં પણ બફારો અને ઊંચા તાપમાન વચ્ચે લોકો માટે પૂરતું પાણી પીવું અને બપોરના સમયે લાંબા સમય સુધી તડકામાં રહેવાનું ટાળવું સલાહભર્યું છે.</p> <p>એકંદરે જોઈએ તો ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 15-16 જુલાઈથી ધીમે-ધીમે શરૂ થવાની સંભાવના છે. શરૂઆતમાં વરસાદ છૂટોછવાયો રહેશે અને ત્યારબાદ હવામાનની નવી સિસ્ટમ સક્રિય બનશે તો વરસાદનું પ્રમાણ વધી શકે છે. નોંધનિય છે કે, જુનના અંતિમ સપ્તાહથી સક્રિય મોનસૂનના કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ અને ભારે વરસાદ વરસ્યો ખાસ કરીને નવસારી અને સુરત જિલ્લામાં બારેમેઘ ખાંગા  થયા તેવી સ્થિતિ સર્જાઇ જો કે આ સમય દરમિયાન કેટલાક જિલ્લા એવા છે.જેમકે પોરબંદર જામનગર સહિત ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ નહિવત નોંધાતા હજુ વાવણીલાયક પણ વરસાદ નથી થયો ત્યારે આ વિસ્તારના ખેડૂતો માટે માઠા સમાચાર છે કે તેમને વાવણી લાયક વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.                                      </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...