Skip to main content

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી


<p>  <strong> Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે, પરંતુ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. જોકે, 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 27થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં ચાર ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને ત્રણ ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p> <p>દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દ્વારકા, પોરબંદર અને જામનગરના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.</p> <p>આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, 24થી 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ફરી એકવાર અણધાર્યા વરસાદી માહોલની શક્યતા રહેશે, જ્યારે 9 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક તબક્કો આવી શકે છે.</p> <p><strong>આ પણ વાંચો:<a title="<strong>  </strong>ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર" href="https://ift.tt/fT1ZnVt" target="_self"><strong>  </strong>ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર</a></strong></p> <p>અંબાલાલ પટેલે આ વરસાદી પરિસ્થિતિ પાછળનું કારણ પણ સમજાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ પેસિફિક મહાસાગરમાં MGO (મેડન-જુલિયન ઓસિલેશન)ની સ્થિતિ નબળી પડતાં નવી હવામાન પ્રણાલીઓ સક્રિય બની રહી છે. હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને 24 જુલાઈ બાદ બીજી નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધવાની સંભાવના છે.</p> <p><strong>હવામાનની આગાહી </strong></p> <div class="" data-turn-id-container="2d2fe1bd-abfa-4450-968f-d634a66b336e" data-is-intersecting="true">રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. એક સાથે ત્રણ હવામાન પ્રણાલીઓ (સિસ્ટમ) સક્રિય થતાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ વરસાદની ઘટ છે અને અનેક એવા જિલ્લા છે જ્યાં વાવણી પણ નથી થઇ ત્યારે જુલાઇના બીજા ભાગમાં વરસાદની આગાહી ખેડૂતો માટે રાહત રૂપ સમાચાર છે. </div> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...