Skip to main content

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ


<p>Gujarat Rain Updates:  રાજ્યમાં ચોમાસાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી લઈને 8.58 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 52 તાલુકામાં 1 થી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=aut2koEiM5aBdkUo" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 8.58 ઈંચ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ વરસાદ રહ્યો છે. ત્યારબાદ સુરત જિલ્લાના કામરેજમાં 6.46 ઈંચ, વલસાડ જિલ્લાના પારડીમાં 6.34 ઈંચ અને ઉમરગામમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં પણ 6.14 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.</p> <p>વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 5.91 ઈંચ, કપરાડામાં 5.79 ઈંચ, સુરત શહેરમાં 5.39 ઈંચ અને વલસાડમાં 5.28 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ખેરગામમાં 4.88 ઈંચ, અમરેલી જિલ્લાના લાઠીમાં 4.61 ઈંચ, ભાવનગરમાં 4.49 ઈંચ અને સિહોરમાં 4.45 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના બાબરામાં 4.37 ઈંચ અને અમરેલી શહેરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં 4.21 ઈંચ, વડોદરા જિલ્લાના શિનોરમાં 3.90 ઈંચ, મહિસાગરના ખાનપુરમાં 3.86 ઈંચ અને સાવરકુંડલામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે.</p> <p>તાપી જિલ્લાના ડોલવણમાં 3.79 ઈંચ, વલસાડ જિલ્લાના ધરમપુરમાં 3.62 ઈંચ, વડોદરા જિલ્લાના ડભોઈમાં 3.54 ઈંચ અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 3.39 ઈંચ અને ઉમરાળામાં 3.15 ઈંચ વરસાદ વરસ્યો છે.</p> <p>નર્મદા જિલ્લાના સાગબારામાં 3.11 ઈંચ, નવસારી જિલ્લાના ગણદેવીમાં 2.95 ઈંચ અને  માળિયામાં 2.87 ઈંચ અને નવસારી શહેરમાં 2.88 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સુરત જિલ્લાના માંગરોળમાં 2.76 ઈંચ, અમરેલી જિલ્લાના લીલીયામાં 2.68 ઈંચ  વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લાના પાદરામાં 2.48 ઈંચ, ભરૂચ જિલ્લાના વાલિયામાં 2.48 ઈંચ, ડાંગ જિલ્લામાં 2.40 ઈંચ, નવસારી જિલ્લાના ચીખલીમાં 2.36 ઈંચ અને વડોદરા શહેરમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈ તેમજ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને તાપી જિલ્લાના વાલોડમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p>હવામાનની સ્થિતિને જોતા આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે નદી-નાળાઓમાં પાણીની આવક વધી રહી છે અને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...