Skip to main content

Rain Forecast: મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર, મુંબઇ જળબંબાકાર


<p><strong>Rain Forecast</strong>: હવામાન વિભાગે આગામી 10 જુલાઇ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. મોનસૂન સિસ્ટમ આગળ લધતાં 13 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતને આવરી લે તેવો  અનુમાન વ્યક્ત કર્યું છે. આ સમય દરમિયાન ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે અમદાવાદ, સુરેંદ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ અને ભાવનગરમાં   ઓરેન્જ એલર્ટ. અપાયું છે તો 17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p> </p> <p>અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે કટરા-સાંઝીછત હેલિકોપ્ટર સેવા સતત પ્રભાવિત રહી છે. રાજ્યમાં 5 અને 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p><strong>મુંબઈ, ગુજરાત અને કેરળમાં ભારે અને રેકોર્ડબ્રેક વરસાદ</strong></p> <p>એક તરફ મુંબઈ, ગુજરાત અને કેરળ જેવા રાજ્યો ભારે તેમજ રેકોર્ડબ્રેક વરસાદથી પ્રભાવિત થયા છે, જ્યારે બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ચોમાસાની ધીમી ગતિએ ખેડૂતો અને સામાન્ય લોકોને નિરાશ કર્યા છે.</p> <p>હિમાચલ પ્રદેશમાં શનિવારે સવારે હળવો હિમવર્ષા અને અનેક સ્થળોએ વરસાદ નોંધાયો હતો.  વરસાદના લીધે હિમાચલમાં 25 રસ્તાઓ બંધ છે, જેને ફરી શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે રવિવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.</p> <p><strong>આ પણ વાંચો: <a title="અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ" href="https://ift.tt/VktKr1x" target="_self">અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ</a></strong></p> <p><strong>ઉત્તરાખંડમાં ભારે વરસાદ, યાત્રા પર અસર</strong></p> <p>ઉત્તરાખંડના કુમાઉં વિભાગમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. પિથોરાગઢ જિલ્લાના ધારચુલામાં 82 મીમી વરસાદ નોંધાયો હતો. ચીનની સરહદને જોડતો ટનકપુર-તવાઘાટ-લિપુલેખ રાષ્ટ્રીય માર્ગ પાંચ સ્થળોએ ભૂસ્ખલન અને કાટમાળના કારણે બંધ થઈ ગયો છે. આદિ કૈલાસ યાત્રા હાલ સ્થગિત રાખવામાં આવી છે. હવામાન વિભાગે રવિવારે નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.</p> <p><strong>શિવભક્તોએ કર્યા બાબા બરફાનીના દર્શન</strong></p> <p>શનિવારે બાલટાલ અને પહલગામ માર્ગથી 20,145 શ્રદ્ધાળુઓએ બાબા બરફાનીના દર્શન કર્યા હતા. છેલ્લા બે દિવસમાં કુલ 32,313 શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફામાં દર્શન કરી ચૂક્યા છે. આ દરમિયાન જમ્મુના આધાર શિબિરથી વહેલી સવારે 259 વાહનોમાં 4,812 શ્રદ્ધાળુઓનો નવો જથ્થો યાત્રા માટે રવાના થયો હતો.</p> <p>દેશના મોટા ભાગમાં ચોમાસાની ગતિ ધીમી છે  ભારતીય હવામાન વિભાગ (IMD)ના આંકડા મુજબ દેશના મોટા ભાગમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે, જેના કારણે ખેતી પર સંકટ ઊભું થવાની શક્યતા વધી રહી છે.</p> <p><strong>ઉત્તર અને મધ્ય ભારત દુષ્કાળની કગાર પર</strong></p> <p>1 જૂનથી 4 જુલાઈ વચ્ચેના આંકડા મુજબ ઉત્તર પ્રદેશમાં સામાન્ય રીતે 118 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ માત્ર 67 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 43 ટકા ઓછો છે. બિહારમાં પણ લગભગ આવી જ સ્થિતિ છે. ત્યાં સામાન્ય 207 મીમી વરસાદ સામે અત્યાર સુધી માત્ર 97.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 53 ટકા ઓછો છે.</p> <p>પંજાબ અને હરિયાણામાં પણ અનુક્રમે 27 ટકા અને 23 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.</p> <p>મધ્ય ભારતના છત્તીસગઢમાં પણ સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ (136.4 મીમી) નોંધાયો છે. વરસાદની આ અછતને કારણે ખેતરોમાં તિરાડો પડી રહી છે અને ધાનની રોપણી માટે ખેડૂતોને હજુ વરસાદની રાહ જોવી પડી રહી છે.</p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...