Skip to main content

Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી


<p><strong>Gujarat Monsoon News:</strong> આજે અષાઢી બીજના પવિત્ર રથયાત્રા મહોત્સવ દરમિયાન ભગવાન જગન્નાથજીની નગરચર્યા વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારીને વાતાવરણને આહલાદક અને ભક્તિમય બનાવી દીધું છે. વરસાદના બીજા રાઉન્ડની પ્રતીક્ષા કરી રહેલા લોકો અને ખેડૂતોમાં ખુશી છવાઇ છે. આજે વહેલી સવારથી જ શરૂ થયેલા છૂટાછવાયા અને વરસાદી ઝાપટાંથી સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે. </p> <p>સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને હાઈવે પર જલભરાવ દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર સમાન સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘવી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. કીમ અને કોસંબા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ખાસ કરીને સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડવાના કારણે નેશનલ હાઇવે 48 ના સર્વિસ રોડ પર ભારે પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી પરંતુ ગરમીથી મોટી રાહત મળી હતી.</p> <p><strong>ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર: - </strong><br />પાટણ અને ગીર સોમનાથમાં વરસાદ બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એવા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થક્ષેત્રમાં વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. પાટણ શહેર તેમજ સરસ્વતી પંથકમાં રાત્રિ દરમિયાન સારો વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.</p> <p><strong><a title="Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના" href="https://ift.tt/GuXv2Ks" target="_self">Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના</a></strong></p> <p><strong>સરહદી કચ્છ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં - </strong><br />ઉપરાંત સૂકા ગણાતા કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. કચ્છના કેટલાક સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ખાસ કરીને ભચાઉ તાલુકાના લલીયાણા ગામ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતાં સ્થાનિકો હરખાઈ ઉઠ્યા હતા. આમ, રથયાત્રાના પવિત્ર દિવસે અમીછાંટણા થવાને હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત શુભ શુકન માનવામાં આવે છે, જેથી સમગ્ર રાજ્યમાં ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસનો માહોલ બમણો થઈ ગયો છે.</p> <p>                                                                 </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...