Skip to main content

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો


<p style="text-align: justify;"><strong>Rathyatra 2026:</strong> અમદાવાદમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી તંત્ર દ્વારા સુરક્ષાને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ખાસ કરીને રથયાત્રાના રૂટ પર આવેલા જર્જરીત મકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. </p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાનાર છે, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલા મધ્ય ઝોનમાં કુલ 544 જર્જરીત મકાનોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી અત્યંત જોખમી એવા 31 મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જેથી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. જ્યારે અન્ય જર્જરીત મકાનો પર એએમસી દ્વારા જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી છે. </p> <p style="text-align: justify;"><a title="આ પણ વાંચો...Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ" href="https://ift.tt/erLnxbm" target="_self">આ પણ વાંચો...Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ</a></p> <p style="text-align: justify;">આ ઉપરાંત, જોખમી મકાનોની આસપાસ ગ્રીનનેટ લગાવી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી રાહદારીઓ અને શ્રદ્ધાળુઓને કોઈ જોખમ ન રહે. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના હોવાથી તંત્ર સુરક્ષાના દરેક પાસા પર ખાસ ધ્યાન આપી રહ્યું છે.</p> <p style="text-align: justify;"><strong> 25 વર્ષ બાદ વાસણ શેરીમાં યોજાશે મામેરુ</strong></p> <p style="text-align: justify;">149મી રથયાત્રામાં ભગવાન જગન્નાથનું 25 વર્ષ બાદ વાસણ શેરીમાં આવેલા તેમના અસલ જૂના મોસાળે 'મામેરું' યોજાશે. વાસણ શેરી સ્થિત રણછોડરાય મંદિરમાં ભક્તોએ આસ્થા અને ઉમંગ સાથે મામેરાના દર્શન કર્યા હતા. ભગવાનને ચાંદીનું સુદર્શન ચક્ર, મોરલી અને હળ અર્પણ કરવામાં આવશે, જ્યારે કલાત્મક વાઘા, અલંકાર અને પાર્વતી શણગાર પણ ભણેજોને અર્પણ કરાશે. આગામી બે દિવસ સુધી વાસણ શેરીમાં મામેરાના દર્શનનો લાભ ભક્તો લઈ શકશે.</p> <p><strong>ઇલેક્ટ્રિક પોલ અને પાવર બોક્સનું સઘન ચેકિંગ </strong></p> <p> 149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષાની પૂર્વ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. દરીયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલા તમામ ઇલેક્ટ્રિક પોલ અને પાવર બોક્સનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ) અને ટોરેન્ટ પાવરની ટીમે સંયુક્ત કામગીરી કરીને દરેક ઇલેક્ટ્રિક પોલ અને પાવર બોક્સનું પ્રોપર નિરીક્ષણ કરી માર્કિંગ કર્યું હતું, જેથી રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરી શકાય. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...