Skip to main content

સુરતના બે મિત્રોએ અંગોના દાન કરી 12 વ્યક્તિઓને નવું જીવન આપ્યું



- કિડની, લિવર, હૃદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને હૈદરાબાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત ચાર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા

- સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે ૧૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવાની ગુજરાતની સૌપ્રથમ ઘટના

સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

અકસ્માતમાં ગંભીર ઇજા થયા બાદ રૂસ્તમપુરાના દશગામ હિંદુ ત્રિવેદી મેવાડા સમાજના યુવાન અને બેગમપુરાના શ્રી સુરતી મોઢવણિક સમાજના યુવાન મળી કિડની, લિવર, હૃદય, ફેફસા અને ચક્ષુઓના દાન કરી બારબાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. બંને પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

રૂસ્તમપુરાના સુરમાવાડના ચંદ્રદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા કલ્પેશકુમાર સોમેશ્વર પંડ્યાનો પુત્ર મીત ઉ.વ. 18 તેમજ બેગમપુરા ચેવલી શેરીમાં રહેતા અને બેગમપુરા મોટી સિનેમા પાસે ભજીયાની લારી ચલાવતા સંજયકુમાર પ્રવિણચંદ્ર ગાંધીનો 18 વર્ષની પુત્ર ક્રીશ શારદાયતન સ્કુલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.

જોકે મીત અને ક્રીસ બંને ખાસ મિત્રો હતા. તેમજ ધોરણ-1 થી બંને સાથે અભ્યાસ કરતા હતા. મીત અને ક્રીશ ગત તા.24મીએ બપોરે મોપેડ ઉપર જી.ડી.ગોએન્કા સ્કુલની સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા કાર ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

સીટી સ્કેન કરાવતા મીત તેમજ ક્રીશને બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.

ગત તા.28 મીએ ડોક્ટરની ટીમે મીત અને ક્રીશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઇફના સંપર્ક બાદ બંનેના પરિવાર અંગદાન માટે સંમત થયા હતા.

ક્રીશ અને મીતની કિડની અમદાવાદની હોસ્પિટલને, લિવર અમદાવાદની હોસ્પીટલને, મીતનું હૃદય અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવ્યું હતું બાદ ક્રીશના ફેફસાં હૈદરાબાદની હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. જ્યારે ક્રીશ અને મીતના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના સ્વીકાર્યુ હતું.

સુરતની ખાનગી હોસ્પિટલથી હૈદરાબાદનું 926 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને ક્રીશના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેતા સી આર પી એફમાં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

જયારે ક્રીશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેતા 55 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જયારે મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેતા 47 વર્ષીય શિક્ષકમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

સુરતની ખાનગી હોસ્પિટલથી અમદાવાદનું 288 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેતી 21 યુવતીમાં ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે દાનમાં મેળવવામાં આવેલી કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે.

https://ift.tt/38oeymR

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...