Skip to main content

વડોદરા: દરેક ચૂંટણી હાર્યા પરંતુ નર્મદા પરિક્રમાને સાવરીયા મહારાજે જીવનની પરિક્રમા બનાવી નર્મદા પુત્રનું બિરુદ મેળવ્યું



- સાત વાર પગપાળા, 318 વખત વાહનથી, અને 1118 વખત ઉત્તર વાહિનીની નર્મદા પરિક્રમા કરનાર સાવરીયા મહારાજ છોટે ગાંધી તરીકે પણ ઓળખાય છે.

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

ભારતીય ધર્મ સંસ્કૃતિમાં પરિક્રમાનું અદકેરૂ મહત્વ છે. એને તપ સાધનાનો ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે.

સહુથી જાણીતી પરિક્રમા ગણપતિ દાદાએ માતા પાર્વતી અને દેવાધિદેવ શંકરની કરીને પૃથ્વીની પરિક્રમા કર્યા બરોબરનું પુણ્ય અને મોરનું વેગીલું વાહન ધરાવતા મોટાભાઈ કાર્તિકેયને ઉંદરના મંદ ગતિ વાહનનો ઉપયોગ કરવા છતાં પાછા પાડયા હતા. આપણે દેવાલયમાં દર્શન કર્યા પછી પરિક્રમા કરીએ છે. વડ કે પીપળના પવિત્ર વૃક્ષોની પરિક્રમા કરીએ છે. વ્રજ ચોરાસી કોષની પરિક્રમાનું કે ગિરિરાજ પર્વતની પરિક્રમાનું આગવું મહત્વ છે.

તેવી જ રીતે નદીઓમાં લગભગ માતા નર્મદાની પવિત્ર પરિક્રમાનું આગવું મહત્વ છે અને અમર કંટકથી સાગર મિલન સ્થળ અને ત્યાંથી બીજા કાંઠે ફરીથી અમર કંટક સુધીની નર્મદા પરિક્રમા ખૂબ કસોટી કરનારી, વિકટ અને થકવી દેનારી છે. પવિત્ર નર્મદાની પરિક્રમા જીવનમાં એકવાર પણ થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય એવી અતૂટ શ્રદ્ધા છે અને દર વર્ષે હજારો નર્મદામાંના ચાહકો અને પુજકો આ પરિક્રમા માતૃ ભક્તિના ભાવ સાથે અનેક કષ્ટો વેઠીને કરે છે.

આમ, માતા રેવાની પરિક્રમા જીવનને તારનારી, અતિ પવિત્ર અને કસોટી કરનારી છે. એકવારમાં જ નવ નેજા પાણી આવી જાય એવી આ પરિક્રમા બેડો પાર કરનારી છે.

ત્યારે માતા નર્મદાને જેમણે પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે તેવા સાંવરિયા મહારાજે એક બે વાર નહીં પરંતુ સેંકડો વાર અને વિવિધ રીતે માં ની પરિક્રમા કરવાનું અભૂતપૂર્વ તપ કર્યું છે.

74 વર્ષની વયના આ નર્મદા સાધકે કુલ 325 વાર વિવિધ રીતે પરિક્રમાનું તપ કર્યું છે. તેમણે 318 વાર વાહનમાં અને 7 વાર પગપાળા નર્મદા પરિક્રમા કરવાનું ભક્તિ પરાક્રમ કર્યું છે.

જાણે કે વિધાત્રીએ તેમની ભાગ્ય રેખામાં કેવળ વારંવાર નર્મદા પરિક્રમાનો દુર્લભ યોગ નું આલેખન કર્યું છે. એટલું જ નહીં આ દરમિયાન જ તેમણે અમર અશ્વસ્થામા અને માતા નર્મદાના સદેહ દર્શનની અલભ્ય અનુભૂતિ કરી છે.

આટલું પૂરતું ના હોય તેમ તેમણે દરવર્ષે ચોક્કસ દિવસોમાં નર્મદા જિલ્લાના રામપુરા માંગરોળ થી યોજાતી અતિ પવિત્ર ઉત્તરવાહીની નર્મદા મૈયાની 1118 વાર પરિક્રમા કરી છે.

આમ, મૂળ મોરબીના સાંવરિયા મહારાજ આજીવન પરિક્રમાવાસી બની રહ્યાં છે.

તેઓ કહે છે કે દશ વર્ષની કુમળી વયે પૂજ્ય ગુરુદેવ બાજરિયા બાપુની આજ્ઞા થી પ્રથમ નર્મદા પરિક્રમા કરી અને તે સિલસિલો હજુ પણ અટક્યો નથી.

શબદના સોદાગર ઝવેરચંદ મેઘાણીજીની જેમ સાવરિયા મહારાજનો જન્મ પણ મોરબી જેલ ખાતાના ક્વાર્ટરમાં થયો હતો. તેઓનું મૂળ નામ કેશવજી કુંવરજી પટેલ હતું હવે તે નામ પણ ભુલાઈ ગયું છે અને સાવરીયા મહારાજ, નર્મદા પુત્ર અને છોટે ગાંધીથી ઓળખાઇ ગયા છે.

નર્મદા પરિક્રમાની સાથે તેઓ રાજનીતિમાં પણ સક્રિય રહ્યાં છે. તેઓ જે તે સમયે મુખ્ય વિરોધ પક્ષ ગણાતા સ્વતંત્ર પક્ષ, બે બળદની જોડી તારા વાળાએ તોડી જેનું સૂત્ર હતું,તેવા રાજકીય પક્ષના સક્રિય સભ્ય હતા.

જો કે તેમણે નર્મદા પરિક્રમાના ભોગે ક્યારેય રાજનીતિ કરી નથી. તેઓ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યા પછી પણ પ્રચાર માટે રોકાયા વગર પરિક્રમા કરવા નીકળી પડતાં.પરિણામે દરેક વખતે તેમને હાર સહન કરવી પડતી.

https://ift.tt/2WwitLz

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...