
<p>ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 573 કેસ નોંધાયા છે. બીજી તરફ 102 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,589 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયું છે. આજે 2,32,392 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. </p>
Comments
Post a Comment