Skip to main content

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3897 કેસ, 19 લોકોના મોત 


<p>ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. &nbsp;આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3897 &nbsp;કેસ નોંધાયા છે. &nbsp;આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 44618 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 225 લોકો વેન્ટીલેટર પર છે. 44393 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1144956 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10667 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 19 લોકોના મોત થયા છે.</p> <p>બીજી તરફ આજે 10273 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.39 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે &nbsp;19 મોત થયા. આજે 60587 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.</p> <p>ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1263, વડોદરા કોર્પોરેશનમાં 777, વડોદરા 203, મહેસાણા 186, &nbsp; સુરત કોર્પોરેશનમાં 147, &nbsp;બનાસકાંઠા 139, સુરત 137, &nbsp;કચ્છ 131, ગાંધીનગર કોર્પોરેશન 113, રાજકોટ કોર્પોરેશન 99, ખેડા 80, &nbsp;રાજકોટ 67, આણંદ 59, ગાંધીનગર 54, &nbsp;સાબરકાંઠા 52,ભરુચ 47, &nbsp;ભાવનગર કોર્પોરેશન 36, પાટણ 33, તાપી 31, મોરબી 26, અમદાવાદ 25, &nbsp;નવસારી 23, &nbsp; જામનગર કોર્પોરેશન 18, વલસાડ 17, અમરેલી 16, દાહોદ 15, ગીર સોમનાથ 15, દેવભૂમિ દ્વારકા 13, પંચમહાલ 13, અરવલ્લી 12, ડાંગ 12, જામનગર 8, જૂનાગઢ 6, નર્મદા 6, સુરેન્દ્રનગર 6, મહીસાગર 4, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, જૂનાગઢ કોર્પોરેશન 2 અને પોરબંદર 2 કેસ નોંધાયો છે.</p> <p>આજે કોરોનાના કારણે 19 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, રાજકોટ 1, ભાવનગર કોર્પોરેશનમાં 1,અમદાવાદ 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.</p> <p>બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 218 &nbsp;લોકોને બીજો ડોઝ અપાયો છે. &nbsp;45 વર્ષથી વધારેની ઉંમરના 2190 લોકોને પ્રથમ અને 4201 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9588 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 15751 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 7441 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 10838 15-18 વર્ષ સુધીનાને બીજો ડોઝ &nbsp;આપવામાં આવ્યો છે. &nbsp;પ્રીકોશન ડોઝ 10352 લોકોને અપાયો છે. &nbsp;આજે કુલ 60,587 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,96,09,935 લોકોને રસી અપાઈ છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>