Skip to main content

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદથી કઈ જગ્યાએ ઉડ્યા પતરા ? ક્યાં થયા વૃક્ષો ધરાશાયી, જાણો વિગત


<p><strong>Gujarat Monsoon:</strong> હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.&nbsp;આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. &nbsp;જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. &nbsp;ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ &nbsp;વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓ હજી પણ કોરા ધાકોર છે. &nbsp;જ્યારે 145 તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી પણ ઓછો વરસાદ. માત્ર 2 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.</p> <p>હાલમાં રાજ્યના જળાશયોમાં છે 37.70 ટકા પાણી છે. &nbsp;સરદાર સરોવરમાં સંગ્રહિત છે 44.66 ટકા પાણીનો જથ્થો. &nbsp;જ્યારે રાજ્યના 100 જળાશયમાં છે 10 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો છે. &nbsp;11 &nbsp;ડેમ થઈ ગયા છે તળિયા ઝાટક.&nbsp;</p> <p>બનાસકાંઠાના દાંતામાં ભારે પવન અને વરસાદથી છતના પતરા ઉડ્યા હતા. ઉપરાંત વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જેના કારણે માર્ગ બંધ થયો છે.</p> <p>રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ઉપરાંત અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે. ભવનાથ, કૈલાસ બાગ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગોંડલની તિરુમાલા સોસાયટીમાં મંડપ ધરાશાયી થયો છે.</p> <p><br /><img src="https://ift.tt/Rj8slw5" /></p> <p>પાલનપુરમાં અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. દાંતા વડગામ પાલનપુરમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે.</p> <p>પોરબદરના બરડા પંથક માં મેઘરાજાનું આગમન થયું છે. ખાભોદર,કુણવદર સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે વાડી ખેતરો પાણીથી તરબોળ થતાં ખેડૂતો ખુશ થઈ ગયા છે.</p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.</p> <p><strong>સૌરાષ્ટ્રના 36 </strong><strong>તાલુકામાં વરસાદ નોંધાયો</strong></p> <p>રાજ્યમાં સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને &nbsp;ખેતીને લાભ થયો અને &nbsp;ડેમોમાં નવા નીર આવ્યાં છે. મોરબીમાં પોણો ઈંચ વરસાદ પડતા &nbsp;મુખ્યમાર્ગો પર જળબંબાકાર થયો હતો. જામનગર જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે. કાલાવડ પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાતા મકાનોના છાપરા ઉડયા. સૌરાષ્ટ્રમાં આજે જુનાગઢ, સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાં વંટોળ-વિજળી સાથે ભારે વરસાદની &nbsp;આગાહી હતી.&nbsp;</p> <p><strong>ઉપલેટામાં વીજળી પડતા બે બળદના મોત</strong></p> <p>ત્રણ દિવસ પહેલા ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો અને સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા. વીજળી પડવાની એક ઘટનામાં બે બળદોનાં મોત થયાં હતા. ભારે વરસાદ સાથે થતી વીજળીમાં ઉપલેટાના તણસવા ગામે વીજળી પડવાની ઘટનામાં બે બળદોના ઘટનાસ્થળે મોત થયા હતા. વીજળી પડવાની ઘટનામાં બે બળદના મોત થતા ખેડૂત પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી હતી. વીજળી પડવાની ઘટના સામે આવતા આસપાસના પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.&nbsp;</p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <p><strong><a title="Agriculture Machinery: ફાર્મ મશીનરી બેંક ખોલવા ખેડૂતોને મળશે 80 ટકા સબસિડી, અહીં કરો અરજી" href="https://ift.tt/LMojxKD" target="">Agriculture Machinery: ફાર્મ મશીનરી બેંક ખોલવા ખેડૂતોને મળશે 80 ટકા સબસિડી, અહીં કરો અરજી</a></strong></p> <p><strong><a title="Red Chili Farming: ઓછા ખર્ચમાં ખેડૂતોને માલામાલ કરી દેશે લાલ મરચાની આ 5 જાત, જાણો તેના ફાયદા" href="https://ift.tt/C70rwng" target="">Red Chili Farming: ઓછા ખર્ચમાં ખેડૂતોને માલામાલ કરી દેશે લાલ મરચાની આ 5 જાત, જાણો તેના ફાયદા</a></strong></p> <p><strong><a title="Aadhaar Seva Kendra: આધાર કાર્ડમાં માહિતી કરાવવી છે અપડેટ તો આ રીતે આધાર સેવા કેન્દ્રની લો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ" href="https://ift.tt/zgCmTsj" target="">Aadhaar Seva Kendra: આધાર કાર્ડમાં માહિતી કરાવવી છે અપડેટ તો આ રીતે આધાર સેવા કેન્દ્રની લો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ</a></strong></p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/dGaR4s2" width="631" height="381" scrolling="no"></iframe></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...